ક્રુઝ ડ્રગ કેસમાં NCBના મુંબઇ ઝોન ડાયરેક્ટર સમીર વાનખેડે ઘણા લોકોના નિશાના પર છે. વાનખેડેની પત્નીએ હવે ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી છે અને વિનંતી કરી છે.
સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવને લખ્યો પત્ર
આજે બાળા સાહેબ જીવતાં હોત તો...
મરાઠી માણસના હક માટે બાળાસાહેબ લડ્યાં
લાંચ લેવાનો આરોપ
સમીર વાનખેડેએ અત્યાર સુધી 30-35 જેટલા હાઇપ્રોફાઇલ કેસ નોંધ્યા છે અને રિયા તેમજ શોવિક ચક્રવર્તીને તો જેલ પણ કરાવી છે. હાલમાં જ શાહરૂખ ખાનના દિકરા આર્યનને પણ તેમણે જ જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. NCP નેતા નવાબ મલિકે તેના પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.
સમીરની પ્રાઇવેટ લાઇફ ચર્ચામાં
સમીરની પ્રાઇવેટ લાઇફને લઇને , તેના ધર્મને લઇને જાહરેમાં ચર્ચા કરવામાં આવી રહી છે. NCP નેતાએ સોશ્યલ મીડિયા પર બર્થ સર્ટીફીકેટ અને નિકાહનામા જાહેર કરીને તેના પર સવાલ ઉઠાવ્યા છે. આ તસવીરોમાં સમીરનો આખો પરિવાર સાથે ઉભેલો જોવા મળી રહ્યો છે. સમીરની પત્ની ક્રાંતિ રેડકરે પોતાના પરિવારના ન્યાય માટે ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી છે.
મહિલા સાથે અસભ્ય વર્તન
પત્રમાં ક્રાંતિએ લખ્યું કે, શિવસેનાના રાજ્યમાં એક મહિલા સાથે અસભ્ય વ્યવહાર થઇ રહ્યો છે. આજે બાળાસાહેબ ઠાકરે હોત તો તેમને આ મંજૂર ન હોત. ક્રાંતિ રેડકરે પત્રમાં લખ્યું કે, નાનપણથી જ મરાઠી માણસના હક માટે લડતી શિવસેનાને જોઇને એક મરાઠી છોકરી મોટી થઇ છે. બાળા સાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજી પાસેથી શિખ્યું છે કે કોઇના પર અન્યાય ન કરો અને અન્યાયને સહન પણ ન કરો. તેવી જ રીતે હું લડી રહી છું.
I have sought time from Maharashtra CM Uddhav Thackeray in order to meet him. I have not received a response so far, I am waiting for a reply: Kranti Redkar Wankhede, Mumbai NCB Zonal Director Sameer Wankhede's wife https://t.co/XsJY0Ipwoo
હું એક કલાકાર છું, મને રાજકારણ સમજાતું નથી, મારે તેમાં પડવું પણ નથી. આપણી સાથે ગમે તે થાય, દરરોજ સવારે આપણું માન ઉતરી જાય છે. શિવસેનાના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે. મજાક છે કે જો આજે બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે આ વાત સ્વીકાર્ય ન હોત.
ઉદ્ધવ પાસે ન્યાયની અપીલ
ક્રાંતિએ આગળ લખ્યું કે, એક મહિલા અને તેના પરિવાર પર વ્યક્તિગત હુમલા કરવા માટે કેટલું નિમ્ન સ્તરનું રાજકારણ છે. તે તેમના વિચારો દ્વારા દરરોજ આપણા સુધી પહોંચે છે. તે આજે તે નથી, પરંતુ તમે છો. અમને તમારામાં તેમનો પડછાયો દેખાય છે. તમે મારા અને મારા પરિવાર સાથે ક્યારેય અન્યાય થવા દેશો નહીં. મને પૂરો વિશ્વાસ છે તેથી જ એક મરાઠી વ્યક્તિ તરીકે આજે હું તમારી જેમ અપેક્ષા સાથે જોઈ રહી છું, હું તમને ન્યાય કરવા વિનંતી કરું છું.