યુપીમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અને ભાજપ ફરી એક વાર શાનદાર રીતે સત્તામાં વાપસી કરી છે. જો કે, અખિલેશ યાદવે ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
યુપીમાં ભાજપની ધમાકેદાર જીત
સપા પ્રમુખે કર્યો આ દાવો
યુપીમાં અમારી જીત થઈ છે
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ગઠબંધનને 125 સીટો જ મળી હતી. પણ મંગળવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, પોસ્ટલ બેલેટમાં સપા-ગઠબંધનને 51.5 ટકા વોટ મળ્યા છે. સાથે જ તેમને કહ્યું કે, આ હિસાબે સપા ગઠબંધનને 304 સીટો મળે છે. તેથી આ અમારી જીત છે.
પોસ્ટલ બેલેટનો મુદ્દો ઉઠાવ્યો
અખિલેશ યાદવે મંગળવારે પોસ્ટલ બેલેટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, પોસ્ટલ બેલેટ ચૂંટણીનું સત્ય રજૂ કરે છે. તેમણે કહ્યું કે, પોસ્ટલ બેલેટ નાખનારા એ સાચા સરકારી કર્મચારી, શિક્ષક અને મતદારોનો આભાર. જેમણે પુરી ઈમાનદારી સાથે અમને વોટ આપ્યા.
સપાએ જાહેર કર્યો આ આદેશ
તો વળી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 111 સીટ જીતીને બીજા નંબર પર રહેનારી સમાજવાદી પાર્ટીએ કાર્યકર્તાને આઈટી સેલથી સતર્ક રહેવાની શિખામણ પણ આપી છે. સાથે જ કોઈને પણ કોઈ પણ પ્રકારનું સૂચન આપવું હોય તો, ડાયરેક્ટ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. તેના માટે અખિલેશે ઈમેલ આઈડી પણ જાહેર કર્યું છે.
કોને કેટલીય સીટો મળી
આપને જણાવી દઈએ કે, યુપી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો છે, અને તે બીજી વાર સત્તામાં આવી છે. ભાજપ ગઠબંધનને 273 સીટો મળી છએ. સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનને 125 સીટો મળી છે. બસપાને એક, કોંગ્રેસ અને જનસતા દળના ઉમેદવારને 2-2 સીટો પર જીત નોંધાવી છે.