સલમાન ખાનના લગ્ન નેશનલ ઇન્ટરેસ્ટ બની ચૂક્યો છે. બોલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલરને ઘણીવાર લગ્ન અંગે સવાલો પૂછાતા રહ્યા છે. પરંતુ ક્યારેય સલમાને લગ્ન અંગે ઇન્ટરેન્ટ દર્શાવ્યો નથી. હવે સલમાનનો લગ્ન અંગેનું તાજુ નિવેદન તેના ફેન્સને નિરાશ કરી શકે છે.
એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કન્ફર્મ કર્યું હતું કે એમને લગ્ન પર વિશ્વાસ નથી. એમના માટે લગ્ન એક ખતમ થઇ રહેલી પરંપરા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં સલમાન ખાને લગ્નને અંગે બિન્દાસ જવાબ આપ્યા.
સલમાન ખાને કહ્યું, ''મને લગ્ન જેવી સંસ્થામાં વિશ્વાસ નથી. સમય સાથે સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ ઓછો થતો જઇ રહ્યો છે.'' સલમાન ખાન મુજબ લગ્ન કરતા તેમને ફ્રેન્ડશિપ પર વધારે વિશ્વાસ છે. જ્યારે સલમાન ખાનને બાળકો વિશે સવાલ કરવામાં આવ્યો તો કહ્યું કે જ્યારે થવાના હશે ત્યારે થશે.
વાત એમ છે કે ગત દિવસો સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને સરોગસી દ્વારા પિતા બનવાનું વિચારી રહ્યા છે. આમ પણ આજકાલ બોલીવુડમાં સેલેબ્સ વચ્ચે સરોગસીની ફોર્મૂલા ટ્રેન્ડ કરી રહી છે. સૌ જાણે છે કે સલમાન ખાન બાળકોને ખુબ જ પ્રેમ કરે છે. આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે એમને બાળકો જોઇએ છે પરંતુ બાળકો સાથે માતા નથી.
સલમાન ખાનના લગ્ન અંગે આ પ્રકારના વિચારથી ફેન્સમાં નિરાશા થઇ હશે. આ નિવેદન બાદ નિશ્ચિત મનાઇ રહ્યું છે કે સલમાન ક્યારેય લગ્ન નહીં કરે. બીજી તરફ સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ 'ભારત'ને લઇને પણ સમાચારોમાં છે. સલમાનની 'ભારત' ફિલ્મ 5 જૂને રિલીઝ થઇ રહી છે. જેનું નિર્દેશન અલી અબ્બાસ જફરે કર્યું છે. ફિલ્માં સલમાન ખાન સાથે કેટરિના કેફ નજરે પડશે.