બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan meets jain monk acharya vijay hansratnasur after his 180 days fast

બોલિવુડ / સલમાન ખાન મળ્યો જૈન મુનિને, સળંગ 180 દિવસ ઉપવાસ કરનાર એકમાત્ર જૈન મુનિ

MayurN

Last Updated: 07:06 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન મળ્યા જાણીતા જૈન આચાર્ય હંસ રત્નસુરને તેઓ 180 દિવસથી વ્રતમાં હતા.

  • સલમાન ખાને જૈન આચાયૅની મુલાકાત કરી
  • હંસ રત્નસુર જાણીતા જૈન આચાર્ય છે
  • તેઓ 180 દિવસથી વ્રતમાં હતા 

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાની દરિયાદિલી માટે જાણીતો સ્ટાર છે. જયારે પણ કોઈ પ્રકારનો મોકો મળે ત્યારે તેઓ માનવતાને સમર્થન કરવાનો મોકો છોડતો નથી. ત્યારે હાલના સમયમાં જ સલમાન ખાન એક જૈન આચાર્ય વિજય હંસ રત્નસુરના 180 દિવસના વ્રત પછી તેઓને મળવા પહોચ્યો હતો.  

કોણ છે આચાર્ય હંસ રત્નસૂર?
આચાર્ય હંસ રત્નસુર જાણીતા જૈન આચાર્ય છે. હંસ રત્નસૂરજીના શિષ્યોના જણાવ્યા અનુસાર, આચાર્ય હંસ રત્નસૂરજીએ તેમના જીવનના છેલ્લા બે દાયકામાં કુલ 12 વર્ષ ઉપવાસમાં વિતાવ્યા છે. જૈન ધર્મગ્રંથો અનુસાર ભગવાન મહાવીરે 180 દિવસ સુધી બે વાર ઉપવાસ કર્યા હતા. આચાર્ય વિજય હંસરત્નસુરી એકમાત્ર જૈન સાધુ છે જેમણે 180 દિવસ સુધી 6 વખત ઉપવાસ કર્યા છે.

માત્ર 2.5 કલાક ઊંઘ કરે છે
મુનિ પદ્મ કળશે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે આચાર્યજી માત્ર 2.5 કલાક જ ઉંઘે છે અને બાકીનો દિવસ ધ્યાન પર બેસી રહે છે. તે દિવસમાં બે લિટર ઉકાળેલું પાણી પીવે છે. આચાર્ય વિજય હંસરત્નસુરીના પિતા, મોટાભાઈ અને નાની બહેન પણ સાધુ છે. દીક્ષા પહેલા તેમનો પરિવાર કચ્છના વાગડના આડોઇ ગામમાં રહેતો હતો.

સલમાન ખાને કરી મુલાકાત
ઉપવાસ દરમિયાન સલમાન ખાન આચાર્ય હંસ રત્નસૂરજને મળ્યા હતા. અહેવાલો અનુસાર, આ દરમિયાન આચાર્યએ સલમાન ખાનને જૈન ધર્મના વિવિધ પાસાઓ અને પરંપરાઓ વિશે જણાવ્યું છે. સલમાન ખાન ઉપરાંત સુપરસ્ટાર જિતેન્દ્ર અને અન્ય સેલેબ્સ જેવી અનેક મોટી હસ્તીઓ પણ આચાર્યજીના આશીર્વાદ લેવા માટે આવતી રહે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન ખાન
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા આજકાલ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે પોતાની ટાઇગર ફ્રેન્ચાઇઝી 'ટાઇગર-3'ની ત્રીજી ફિલ્મ પર અભિનેત્રી કેટરિના કૈફ સાથે પણ કામ કરી રહ્યો છે. શાહરૂખ ખાન 'પઠાણ'માં કેમિયો રોલમાં પણ જોવા મળશે. તે 'નો એન્ટ્રી 2' અને 'કિક 2'માં પણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ