તાજેતરમાં જ પૂરી થયેલી IPLની સીઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ પછી થાણે પોલીસે ફિલ્મ એક્ટર અરબાઝ ખાનને સમન મોકલાવ્યું હતું. પોલીસે બાંદ્રા સ્થિત અરબાઝના ઘર પર શુક્રવારે સવારે સમન્સ મોકલીને પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે IPLમાં સટ્ટાબાજીની વાત સ્વીકારી હતી આ મામલામાં તેમના પિતા સલીન ખાને ચોંકાવારું નિવેદન આપ્યું છે.
અરબાઝ દ્વારા IPL મેચોમાં સટ્ટાબાજી કરવાને લઇને સલીમ ખાને એક ઇન્ટરવ્યૂમાં આપતા કહ્યુ કે ''આ મામલામાં બુકી સોનૂ જાલાનથી અફધાનિસ્તાન પાકિસ્તાન સાઉદી અરબ અને સાઉથ આફ્રિકાથી લોકો જોડાયેલે છે. તો પછી મારા દિકરાનું જ નામ કેમ સામે આવ્યું? શું બુકી સોનુના ડાયરીમાં માત્ર અરબાઝનું નામ છે એક જ વ્યકિતની દુકાન ચાલી રહી છે.''
સલીમ ખાને આગળ કહ્યુ કે ''દેશની ક્લબોમાં જુગાર રમવાની છુટ છે ઘોડાના રેસની અનુમતિ છે લોટરી ઠીક છે.. પરંતુ અમારા દેશમાં ક્રિકેટ પર સટ્ટાબાજી ઠીક નથી તેમ છતાં લોકો તેમાં શામેલ છે. ક્રિકેટમાં સટ્ટાબાજીને કેમ લીગલ નથી કરવામાં આવતી? તેનાથી ઘણી આવક થશે.''
સૂત્રોનુસાર અરબાઝે IPL મેચમાં લગાવેલા સટ્ટામાં 2.75 કરોડ રૂપિયાનો નુકસાન થવાની વાત સ્વીકારી છે. જાણકારી અનુસાર અરબાઝે આ વર્ષે IPL 2.80 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો તેમ છતાં તેણે ઘણું નુકસાન થયું. અરબાઝને ગત વર્ષે 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હતુ.