ચૂંટણીના માહોલમાં નેતાઓ બફાટ પર બફાટ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ બસ માત્ર તેમના ચૂંટણી પ્રચાર પર અમુક કલાકો માટે પ્રતિબંધ લગાવી સંતોષ માની લે છે. ચૂંટણીપંચને એવું લાગે છે કે, આ પ્રતિબંધની નેતાઓ પર અસર પડશે, પરંતુ એ ભૂલી ગયું કે, આપણા નેતાઓ આવા સમયે પણ નવા-નવા ફોર્મૂલા ઘડવામાં માહિર છે. કેવા ફોર્મૂલા તમે ખુદ જુઓ.
લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં વિવાદીત નિવેદનો આપવા પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ લગાવ્યો. તો પ્રજ્ઞા ઠાકુરે યોગી ફોર્મૂલા અપનાવ્યો અને ભગવાનના મંદિર પહોંચી ગયા. ભગવાના દર્શન તો કર્યા જ સાથે-સાથે ભક્તો સાથે ભક્તિમાં લીન્ન થઈ ગયા.
મહત્વનું છે કે, આ પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી પણ આવી જ ફોર્મૂલા અપનાવી હતી. ચૂંટણીપંચે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો તો યોગીજી હનુમાન મંદિર પહોંચી ગયા હતા. જ્યારે હવે પ્રજ્ઞા ઠાકુર દુર્ગા મંદિર પહોંચી ગયા. અહીં આપને એ પણ જણાવી દઈએ કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આ પ્રતિબંધ શહીદ હેમંત કરકરે અને બાબારી ધ્વંસ મુદ્દે વિવાદીત નિવેદન આપવાને લઈને લગાવાયો છે. જે મુજબ 72 કલાક સુધી તે પ્રચાર-પ્રસાર નહીં કરી શકે, પરંતુ આ રીતે ભગવાનના મંદિરમાં જઈ ભજન તો ગાઈ જ શકશે.