રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ફરી બદલાઇ રહી હોય તેવું જોવા મળી રહી છે. સોમવારે બપોરે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 107 ધારાસભ્યોની પરેડ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ફરી બદલાઇ
સચિન પાયલોટ સાથે વાટાઘાટની ફોર્મ્યૂલા નક્કી
આ દરમિયાન, સચિન પાયલોટ સાથે વાટાઘાટની ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે. ત્યારે હવે પક્ષના પીઢ નેતા રાજીવ સાતવ કેન્દ્રીય નેતૃત્વ વતી જયપુર પહોંચશે અને સચિન પાયલોટ સાથે આ મુદ્દે ચર્ચા કરશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 13, 2020
સચિનને મનાવવાની ફોર્મ્યૂલા થઇ નક્કી
જો સૂત્રોનું માનીએ તો સચિન પાયલોટ તેમના ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ, સચિન પાયલોટને ફાઇનાન્સ અને ગૃહ મંત્રાલય આપવામાં આવે અને પ્રદેશ પ્રમુખનું પદ પણ તેમની સાથે રહેવું જોઈએ તેવી માગ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ખુદ આ મામલે સક્રિય છે અને અશોક ગેહલોટ-સચિન પાયલોટ સાથે વાત કરી રહી છે. જેથી મામલો ઉકેલી શકાય.
નારાજ સચિન પાયલટ સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરી વાતચીત
રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર સંકટ યથાવત છે. નારાજ સચિન પાયલટને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. સચિન પાયલટ સાથે કોંગ્રેસના 5 નેતાઓએ વાત કરી છે. સચિન પાયલટ સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ વાત કરી છે. અને પી.ચિદંમ્બરમ, કે.સી.વેણુગોપાલ અને અહેમદ પટેલ પણ તેમની સાથે વાત કરી રહ્યાં છે. અને સચિન પાયલટને સમાધાન માટે જયપુર જવા કહેવાયું છે.
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેલહોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.