તમે શિવ મંદિર અને વિષ્ણુ ભગવાનના મંદિર તો ઘણા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાસુ-વહુનું મંદિર જોયું છે. તમને આ પ્રકારના મંદિર માટે જાણીને હૈરાની તો થઇ હશે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે આ એકદમ સાચુ છે. આ મંદિર રાજસ્થાનના ઉદેયપુરમાં છે. આ મંદિરના નિર્માણની કહાની ખૂબ રોચક છે.
સાસુ-વહુનું મંદિર ઉદેયપુરના પ્રસિદ્ધ ઐતિહાસિક અને પર્યટન સ્થળોમાંથી એક છે. વહુનું મંદિર, સાસુના મંદિર કરતા થોડું નાનું છે. 10મી સદીમાં નિર્મિત સાસુ-વહુનું મંદિર અષ્ટકોણીય આઠ નક્કાશીદાર મહિલાઓથી સજાવવામાં આવેલી છત છે. મંદિરની દિવાલોને રામાયણની વિવિધ ઘટનાઓ સાથે સજાવવામાં આવ્યું છે. મૂર્તિઓને બે તબક્કામાં એવી રીતે ગોઠવવામાં આવી છે કે એક-બીજા સાથે ઘેરાયેલી રહે છે.
સાસુ-વહુના આ મંદિરમાં એક સ્ટેજ પર ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ફોટો ખોદેલા છે, જ્યારે બીજા સ્ટેજ પર રામ, બલરામ અને પરશુરામના ચિત્ર લાગેલા છે. કહેવાય છે કે રાજઘરાનાની રાજમાતાએ અહીંયા ભગવાન વિષ્ણનું મંદિર અને વહુએ શેષનાગના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
સાસુ-વહુ દ્વારા નિર્માણ કરાવવાના કારણે આ મંદિરને 'સાસુ-વહુના મંદિર'ના નામથી ઓળખવામાં આવે છે.
1100 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ રાજા મહિપાલ અને રત્નપાલે કરાવ્યું હતું. સાસુ-વહુના આ મંદિરમાં પ્રવેશ દ્વારા પર બનેલી છત પર મહાભારતની પૂરી કથા અંકિત છે.જો કે આજે બંને મંદિરોની ગર્ભગૃહોમાંથી દેવ પ્રતિમાઓ ગુમ છે.
સાસુ-વહુના આ મંદિરમા ભગવાન વિષ્ણુની 32 મીટર ઊંચી અને 22 મીટર પહોળઈ છે. આ પ્રતિમા સૌ ભુજાઓથી યુક્ત છે, એટલા માટે આ મંદિરને સહસ્ત્રબાહુ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.
સાસુ-વહુના આ મંદિરોની આસપાસ મેલાડ રાજવંશની સ્થાપના થઇ હતી. કહેવાય છે કે દુર્ગ પર જ્યારે મુગલોએ કબ્જો કરી લીધો હતો તો સાસુ-વહુના આ મંદિરને ચૂનો અને રેતીથી ભરીને બંધ કરાવી દીધું હતું. જો કે બાદમાં જ્યારે અંગ્રેજોએ દુર્ગ પર કબ્જો કર્યો ત્યારે ફરીથી આ મંદિરને ખોલવામાં આવ્યું.