બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Ronak
Last Updated: 01:51 PM, 25 February 2022
રશિયાની રાજધાની કીવમાં રશીયન સેના હવે ઘુસી ગઈ છે. આ દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દુશ્મનો કીવમાં ઘુસી ગયા છે. સાથેજ તેમણે કહ્યું કે દરેક નાગરીકો સાવધાન રહે અને કર્ફ્યુનું પાલન કરે. આપને જણાવી દઈએ કે કીવમાં સતત ધડાકાના અવાજો પણ આવી રહ્યા છે. જેથી ત્યાના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે.
Ukrainian forces downed an enemy aircraft over Kyiv in the early hours on Friday, which then crashed into a residential building and set it on fire: Reuters
— ANI (@ANI) February 25, 2022
Visuals from Kyiv, Ukraine.
(Visuals - Reuters)#RussiaUkraineConflict pic.twitter.com/PbC6qr62qb
આત્મસમર્પણની ના પાડતા જવાનોને ઉતાર્યો મોતને ઘાટ
યુક્રેન પર જે હુમલો થયો છે. તેમા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા રશીયાએ યુદ્ધપોતમાં હાજર યુક્રેનના 13 જવાનોને મારી નાખ્યા છે. રશિયાએ તેમને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું સાથેજ એવું પણ કહ્યું જો નહી કરો તો હુમલો કરીશું. આ સમયે યુક્રેની પોસ્ટ દ્વારા રશિયાના સૈનિકોને અપશબ્દો બોલવામાં આવ્યા જેથી સ્થળ પર હાજર દરેક જવાનોને રશિયાના સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દીધા
કીવમાં સવારથી 6 બ્લાસ્ટ
રશિયા સતત યુક્રેનના દક્ષિણ-પૂર્વી બોર્ડર પર મિસાઈલ છોડી છે. જેથી અહીયાના સૈનિકોને હવે ભારે નુકસાન થયું છે. સતત બીજા દિવસે પણ રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. જેથી હવે વિશ્વના દેશોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. આ સિવાય યુક્રેને એવો દાવો પણ કર્યો છે કે અત્યાર સુધીમાં કીવમાં સવારથી 6 બ્લાસ્ટ થયા છે. જેમા આ ધ઼ડાકા ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યા છે. સાથેજ રશિયાનું એક વિંમાન પણ પાડી દેવામાં આવ્યું છે.
Visuals from Kharkiv & Maidan Nezalezhnosti in Kyiv Ukraine this morning,amid #RussiaUkraineConflict
— ANI (@ANI) February 25, 2022
Two loud blasts were heard in Kyiv earlier this morning; Russian President Vladimir Putin authorized a military operation in eastern Ukraine, in Kyiv yesterday
(Source: Reuters) pic.twitter.com/7hkGvm83wi
137 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને પણ હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે આવા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીનું કહેવું છે કે તેમને આ લડાઈમાં એકવલા મુકી દેવામાં આવ્યા છે. તેમણે એવો દાવો પણ કર્યો કે રશિયાએ જે હુમલો કર્યો છે તેમા 137 લોકોના મોત થયા છે. સાથેજ 316 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ છે.
સતત ધ઼ડાકાના અવાજો
યુક્રેનની રાજધાની કિવમાં આજ સવારથી પરિસ્થિતી બગડી છે. અહીયા સતત ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા છે. સાથેજ યુક્રેન દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો કે તેમણે રશિયાના બે એરક્રાફ્ટ પાડી દીધા છે.
The moment a cyclist was killed by Russian artillery in Uman, Cherkasy Oblast was caught on camera. We've verified @Cen4infoRes geolocation of the attack to 48.748716, 30.218705https://t.co/oUcaxYy0M6
— Bellingcat (@bellingcat) February 24, 2022
રશિયાના કુલ 7 એરક્રાફ્ટ પાડવામાં આવ્યા
યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે રશિયાને પણ આ હુમલામાં ઘણું નુકશાન પહોચ્યું છે. યુક્રેનના રક્ષામંત્રીના કહેવા પ્રમાણે રશિયાના 7 એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર અને 30 ટેન્કને નષ્ટ કરી દેવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ જેંલેસ્કીનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ જેંલેસ્કીના કહેવા પ્રમાણે , 'કીવમાં ઘૂસેલા રશિયનોનો પ્રથમ ટારગેટ હું જ છું. તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે.'
1700 લોકોની ધરપકડ
જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે અને ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયાના અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો
રશિયન સેનાએ યુક્રેન પર હુમલાની શરૂઆત કર્યા પછી ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો જમાવ્યો હોવાની જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર મિખાઈલો પોડોલયાકે આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયનો દ્વારા વિનાકારણ થયેલા હુમલામાં ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે એમ કહેવું અશક્ય છે.
પરમાણું વિપકિરણની અસર
ઉલ્લેખનીય છે કે 1986માં ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લિકેજ થયું હતું અને મોટી જાનહાનિ સર્જાઈ હતી. અહીં પરમાણુ વિકિરણોની અસર હજુ પણ છે.
ભારત સરકાર એલર્ટ
રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ થઈ છે. આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચેના વોર સંબંધિત ચર્ચા થઈ. આ બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રાત્રે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત અંગે PMOએ માહિતી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news