બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Hiren
Last Updated: 07:17 PM, 1 April 2022
આ વખતે રશિયા અને યૂક્રેન બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ વાર્તા વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહી છે. પશ્ચિમી રશિયાના એક ફ્યૂલ ડેપો પર યૂક્રેનની સેના તરફથી હુમલા બાદ વાતચીત શરૂ થઇ છે. જણાવી દઇએ કે 2 દિવસ પહેલા ઇન્સ્તાંબુલમાં વાતચીત થઇ હતી.
ભારત રશિયા અને યૂક્રેન વચ્ચે મધ્યસ્થી બને તેવી સંભાવનાઓ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શુક્રવારે ભારત પ્રવાસ પર મોટું નિવેદન આપ્યું છે. લાવરોવે કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવા માટે ભારત મધ્યસ્થની ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા દરમિયાન હજુ સુધી કોઈ સમાધાન નિકળી શક્યું નથી. ભારત રશિયા અને યૂક્રેન વચ્ચે મધ્યસ્થી બને તેવી સંભાવનાઓ ન્યૂઝ એજન્સીના સવાલ પર જવાબ આપતા લાવરોવે દર્શાવી છે.
2 દિવસીય સત્તાવાર પ્રવાસ માટે ગુરૂવારે નવી દિલ્હી પહોંચેલા લાવરોવે સ્વતંત્ર ભારતીય વિદેશ નીતિના પણ વખાણ કર્યા. સાથે જ ઉર્જાના વધતા ભાવો અને રશિયા પર પ્રતિબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
તેમણે કહ્યું કે, મારું માનવું છે કે ભારતીય વિદેશ નીતિ સ્વતંત્રતા અને વાસ્તવિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નીતિ રશિયન સંઘમાં છે અને અમને સારા મિત્રો અને વફાદાર ભાગીદાર બનાવે છે.
મને વિશ્વાસ છે કે કોઈ દબાણ ભારત-રશિયાની ભાગીદારીને અસર નહીં કરેઃ લાવરોવ
ભારત પર અમેરિકન પ્રેશર અંગે પ્રશ્ન પૂછ્યો કે શું આનાથી ભારત-રશિયાના સંબંધો પર અસર પડશે? રશિયાના વિદેશ મંત્રીએ જવાબ આપતા કહ્યું કે, એમા કોઈ શંકા નથી કે પ્રેશર પાર્ટનરશીપને અરસ નહીં કરે, મને કોઇ શંકા નથી કે કોઈ પ્રેશ આપણી ભાગીદારીને અસર કરશે. તે(અમેરિકા) બીજાને મજબૂર કરી રહ્યું છે.
લાવરોવે કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધ નહીં, વિશેષ ઓપરેશન ચાલી રહ્યું છેઃ રશિયા
યૂક્રેનના ઘટનાક્રમ અંગે પૂછવા પર તેમણે કહ્યું કે, યૂક્રેનમાં વિશેષ અભિયાનનું યુદ્ધ કહેવામાં આવી રહ્યું છે જે ઠીક નથી. આ એક વિશેષ અભિયાન છે, સૈન્યના મૂળભૂત પાયાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ ખતરો રજૂ કરવાની ક્ષમતાના નિર્માણથી કીવ શાસનને વંચિત કરે છે.
ભારતને કોઈ પણ સામાન ઉપલબ્ધ કરાવવા માટે તૈયારઃ રશિયા
લાવરોવે પૂછ્યું કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતની સ્થિતિ, ભારતને તેલની જરૂરિયાત અને રૂપિયા, રૂબલ ચૂકવણી, પ્રતિબંધો પર કોઈ પણ પુષ્ટિને કેવી રીતે જુઓ છો? તેમણે કહ્યું કે, જો ભારત અમારી પાસેથી કંઇપણ ખરીદવા ઇચ્છે છે, તો અમે તેના માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, અમે ભારતને કોઈ પણ સામાન ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છીએ જે પણ અમારાથી ખરીદવો હોય. રશિયા અને ભારત વચ્ચે ખુબ સારા સંબંધ છે.
બે દિવસીય ભારતીય પ્રવાસે આવ્યા છે વિદેશ મંત્રી
આ અગાઉ શુક્રવારે સવારે સર્ગેઈ લાવરોવ આજે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળ્યા હતા. બંને દોશોના વિદેશ મંત્રીઓની વચ્ચે યુક્રેન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈંડો પૈસિફિક, આસિયાન અને ભારતીય ઉપ મહાદ્વિપમાં ઘટનાક્રમો અને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થઈ હતી.
Concluded talks with Russian Foreign Minister Sergey Lavrov.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 1, 2022
Discussed bilateral cooperation and developments in Ukraine, Afghanistan, Iran, Indo-Pacific, ASEAN and the Indian sub-continent. pic.twitter.com/jAlrpol5Gt
આજે જ તેઓ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મીટિંગમાં રશિયાના સસ્તાના ક્રૂડ ઓયલ, મિસાઈલ સિસ્ટમ સહિત વિવિધ મિલિટ્રી સામાનની સમયસર ડિલીવરી પર પણ વાત થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news