બાબા રામદેવની રસોઇનું તેલ બનાવનારી કંપની રુચિ સોયાના ફૉલોઑન પબ્લિક ઑફર(FPO) આવનાર છે. પતંજલિએ રુચિ સોયા કંપનીનું અધિગ્રહણ કર્યું તે પહેલા કંપની વિરુદ્ધ NCLTમાં કાર્યવાહી થઇ ચૂકી છે.
રુચિ સોયાનો 24 માર્ચે ખુલશે FPO
3 વર્ષ પહેલા પતંજલિએ કહ્યું હતું અધિગ્રહણ
પતંજલિએ અધિગ્રહણ કર્યું તે પહેલા રુચિ સોયા વિરુદ્ધ થઇ હતી કાર્યવાહી
બાબા રામદેવની કંપની રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે. ત્યારે રુચિ સોયાને બોર્ડે અંદાજિત 4300 કરોડ રૂપિયામાં FPO માટે રેડ-હેરિંગ પ્રોસ્પેક્ટસને મંજૂરી આપી છે. કંપની રુચિ સોયાનો 24 માર્ચે FPO ખુલશે. આ સમાચાર બાદ રુચિ સોયાના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે એ પણ જાણવું જરુરી છે કે પતંજલિ દ્વારા જ્યારે રુચિ સોયા કંપનીનું અધિગ્રહણ નહોતું થયું તે સમયે કંપની વિરૂદ્ધ NCLTમાં કાર્યવાહી થઇ ચૂકી છે.
બાબા રામદેવે કંપની અધિગ્રહણ કરી તે પહેલા કંપનીનો શું હતો ભૂતકાળ ?
પતંજલિના અધિગ્રહણ પહેલા રુચિ સોયા કંપનીએ લોન ભરપાઈ ન કરતા કાર્યવાહી કરાઈ હતી. SBI સહિતની બેંક દ્વારા રુચિ સોયાને 12 હજાર 146 કરોડની લોન આપવામાં આવી હતી. ત્યારે કંપનીએ લોન ભરપાઈ ન કરતા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(NCLT)માં કાર્યવાહી થઇ હતી. રુચિ સોયા સાથે બેંકો દ્વારા 60 ટકાથી વધુ લોન માંડવાળ કરાઈ હતી. જોકે પતંજલિએ કંપની ખરીદતા કંપનીના શેરમાં 3 વર્ષમાં 14 હજાર ટકાનો ઉછાળો આવ્યો હતો. રુચિ સોયાના 98.90 ટકા શેર પતંજલિ પાસે છે.
પતંજલિ કંપનીને રુચિ સોયા ખરીદવા બેંકોએ 3 હજાર 200 કરોડની લોન આપી છે. નિયમ મુજબ કંપનીએ 25 ટકા ઈક્વીટી ડાયલ્યુટ કરવી જરૂરી છે. કંપની FPO દ્વારા 4 હજાર 300 કરોડ મેળવશે. રોકાણકારોના નાણાંનો ઉપયોગ લોન ભરવા પણ થશે. બેંક અને લોકોના નાણાં દ્વારા પતંજલિએ સામ્રાજ્ય ઉભુ કર્યું છે. પતંજલિએ ડિસેમ્બર 2019માં રુચિ સોયા ખરીદી હતી.
બાબા રામદેવની કંપની રુચિ સોયાનો 24 માર્ચે ખુલશે FPO
યોગગુરૂ બાબા રામદેવની માલિકીવાળી રુચિ સોયાના FPO 24 માર્ચે ખુલશે. કંપનીની યોજના 4300 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. પતંજલિ આયુર્વેદની સબ્સિડિયરી રુચિ સોયાએ રેગુલેટરી ફાઇલિંગમાં આની માહિતી આપી હતી. ફાઇલિંગના અનુસાર, કંપનીની બોર્ડ કમિટીએ 24 માર્ચથી 28 માર્ચ 2022 વચ્ચે FPO લાવવાની મંજૂરી આપી છે એટલે કે આ FPO 24 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થઇ જશે.
રુચિ સોયા શા માટે લાવી રહી છે FPO?
FPO લાવવા માટે કંપનીએ બજાર રેગ્યુલેટર સેબી સાથે ગત વર્ષ ઓગસ્ટ 2021માં જ મંજૂરી મળી ચૂકી હતી. રુચિ સોયાએ આના માટે જૂન 2021માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કરી હતી. કંપની સેબીની જોગવાઈ પૂરી કરવા માટે આ પબ્લિક ઇશ્યૂ લાવી રહી છે, જે હેઠળ લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછા 25 ટકા શેર હોલ્ડિંગ પબ્લિકના હોવા જોઈએ. DRHPના અનુસાર, રુચિ સોયા FPO દ્વારા એકઠા કરાયેલા પૈસાનો ઉપયોગ દેવુ ચૂકવવા કરવા, વધેલા વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂર્ણ કરવા અને અન્ય સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોમાં કરશે.
3 વર્ષ પહેલા પતંજલિએ કહ્યું હતું અધિગ્રહણ
રુચિ સોયાને અંદાજિત 3 વર્ષ પહેલા 2019માં પતંજલિએ દેવાળિયા પ્રક્રિયા હેઠળ 4350 કરોડ રૂપિયામાં ખરીદી લીધીહ તી. તમામ પ્રમોટર્સની કંપનીમાં 99 ટકાની ભાગદારી છે અને આ રાઉન્ડ FPO દ્વારા ઓછામાં ઓછા 9 ટકા ભાગીદારી ઓછી કરવાની જરૂરિયાત છે. સેબીના નિયમોના અનુસાર કંપનીને પ્રમોટર્સની ભાગીદારી 3 વર્ષમાં વધુમાં વધુ 75 ટકા સુધી કરવાની છે. રુચિ સોયા તલનું પ્રોસેસિંગ કરે છે. ક્રૂડ એડિબલ ઑયલ્સને રિફાઇન કરે છે અને સોયા ઉત્પાદનો બનાવે છે. આ સિવાય અન્ય વેલ્યૂ એડેડ પ્રોડેક્ટ્સનો વેપાર કરે છે. આનો વેપાર મહાકોશ, સનરિચ, રુચિ ગોલ્ડ અને ન્યૂટ્રિલાના બ્રાન્ડ નામથી છે.