CAAનો શિકાર રાજનેતાઓ જ બની રહ્યા છે. તાજેતરમાંજ કેરળના એક ભારતીય નાગરિક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગરિકતા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે એટલું જ નહીં RTI કરીને વડાપ્રધાનની નાગરિકતાના દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ ભારતીય નાગરિકતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગરિકતા સામે સવાલ!
RTIમાં માંગવામાં આવ્યા દસ્તાવેજ
કેરળમાં થઈ રહ્યો છે નાગરિકતા કાયદાનો વિરોધ
કેરળના થ્રિસુર જિલ્લાના પોલટા, ચાલકડીના રહેવાસી, જોશ કલ્લુવિટ્ટીલ, 13 ડિસેમ્બરના રોજ એક RTI કરી છે. જેમાં તેણે પોતાના રાઈટ ટુ એજ્યુકેશન અધિકાર હેઠળ ચલકૂડી નગરપાલિકામાં માહિતી અધિકારીને આ અંગે માહિતી આપવા અરજી કરી છે.
શું છે RTI માં?
જોશ કલ્લુવિટ્ટીલ કેરળના સૂચના વિભાગમાં આરટીઆઇ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે એવા ક્યા દસ્તાવેજ છે જેનાથી સાબિત થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નાગરિક છે.
કેરળમાં થઈ રહ્યો CAAનો વિરોધ
કેરળ એક એવુ રાજ્ય છે જ્યા સત્તાધારી ગઠબંધન એલડીએફ અને વિપક્ષનું ગઠબંધન યૂડીએફ બન્ને CAAનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં કેરળની વિધાનસભાએ એક પ્રસ્તાવ પસાર કરી કેન્દ્ર સરકારને CAA પરત લેવાનો આગ્રહ કર્યો હતો. આ પ્રસ્તાવના વિરોધમાં કેરળ વિધાનસભામાં એકમાત્ર મત ભાજપના ધારાસભ્યનો જ હતો. આ સિવાય કેરળ સરકાર CAAના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી ચુકી છે.