અમીર, ખાધેપીધે સુખી, ઉચ્ચ શ્રીમંત વર્ગના વાલીઓ તેમના બાળકોના બોગસ પ્રવેશના લઇ લે તેવી આશંકાના પગલે શિક્ષણ વિભાગે ક્રોસ વેરિફિકેશન શરૂ કર્યું
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આગામી વર્ષ 2019-20 માટે ધો.1માં પ્રવેશની પહેલા તબકકાની કામગીરી પુરી થઈ ચુકી છે. આરટીઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી બેઠકો પર અમીર, ખાધેપીધે સુખી, ઉચ્ચ શ્રીમંત વર્ગના વાલીઓ તેમના બાળકોના બોગસ પ્રવેશ ના લઇ લે તેવી આશંકાના પગલે શિક્ષણ વિભાગે વાલીઓએ રજૂ કરેલી વિગતો અને પુરાવાઓ તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં માલેતુજાર વાલીઓએ પણ બોગસ આવકના દાખલા રજૂ કરી પોતાના સંતાનોનાં એડમિશન મેળવી લીધા હતા. જેથી ભારે વિવાદ થયો હતો. ચાલુ વર્ષે આરટીઇના પ્રવેશ પ્રક્રિયામાં કોઇ ગોલમાલ નહીં થાય તે માટે ખાસ ધ્યાન આપવા માટે આ વખતે તમામ પ્રકારની પણ ચકાસણી કર્યા બાદ પ્રવેશ અપાયો છે, છતાં શ્રીમંત વાલી ગરીબ બનીને બોગસ પુરાવાઓ ઉભા કરીને બાળકનું એડમિશન નથી લઈ ગયાને તે મુદ્દે તમામ વિદ્યાર્થીઓના વાલીઓનું ક્રોસ વેરીફીફીકેશન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
આ રીતે થશે તપાસ:
ડીઇઓ કચેરીમાં હાલમાં શાળાદીઠ બે વ્યક્તિની તપાસ ટીમ બનાવાઇ છે તપાસની ટિમ બનાવાઇ છે ત્યારે આ તપાસમાં વાલીનું સરનામું, તે કેવા વિસ્તારમાં રહે છે, મકાન ભાડાનું છે કે માલિકીનું? ફલેટ, રો-હાઉસ કે ઝૂંપડપટ્ટી છે, ઘરમાં એલઇડી, વોશિંગ મશીન, એસી છે? લાઇટિબલ, ફોન બિલ કેટલું? કેટલાં ભાઇ-બહેન? તેઓ કયાં ભણે છે? વાલીનો વ્યવસાય, શૈક્ષણિક લાયકાત, પાનનંબર, ઇન્કમટેક્સની વિગત, આવકનો દાખલો કઇ કચેરીનો? તેની સાથે કયા પુરાવા રજૂ કરાયા? બીપીએલ કાર્ડ છે? ઉપરાંત અન્ય વિગતોની ચકાસણી કરી રહી છે.