મહારાષ્ટ્રના અમરાવતીથી RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, 'હિંસાથી કોઈનું ભલું નથી થવાનું. આપણે હંમેશા અહિંસક અને શાંતિપૂર્ણ રહેવું જોઈએ.'
અમરાવતીના એક કાર્યક્રમ દરમ્યાન મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન
હિંસાથી કોઈનું ભલું નથી થતું, તમામ સમુદાયો સાથે આવે અને માનવતાને બચાવે : ભાગવત
સિંધી સમુદાયે યુનિવર્સિટીની માંગણી સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કરવું જોઈએ: ભાગવત
મહારાષ્ટ્રના અમરાવતીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, 'હિંસાથી કોઈનું ભલું થતું નથી. જે સમાજને હિંસા પ્રિય છે તેઓ તેમના અંતિમ દિવસો ગણી રહ્યાં છે. આપણે હંમેશા અહિંસક અને શાંતિપૂર્ણ રહેવું જોઈએ. એ માટે જરૂરી છે કે તમામ સમુદાયો સાથે આવે અને માનવતાને બચાવે. આપણે આ કામ ટોચની પ્રાથમિકતા પર કરવાની જરૂર છે.
पूरा समाज एक साथ सोचे लेकिन अच्छा सोचे। सब मिलकर बुरा भी सोच सकते हैं जिससे हिंसा होती है, अशांति फैलती है और ये नहीं होना चाहिए इसलिए सबका एक मन बने और अच्छा बने उसके लिए संतों का अनुसरण करना चाहिए: अमरावती में एक कार्यक्रम के दौरान RSS प्रमुख मोहन भागवत pic.twitter.com/ZvUZ2oCKZ7
અમરાવતીમાં સંત કંવરરામના પ્રપૌત્ર સાંઈ રાજેશલાલના સિંહાસન સમારોહમાં આપી હતી હાજરી
સંઘ પ્રમુખનું આ નિવેદન દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક સંઘર્ષની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. રામનવમી અને હનુમાન જન્મજયંતિ પર ઓછામાં ઓછાં છ રાજ્યોમાં હિંસાની ઘટનાઓ ઘટી હતી. મોહન ભાગવત ગુરુવારે અમરાવતીમાં સંત કંવરરામના પ્રપૌત્ર સાંઈ રાજેશલાલના સિંહાસન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ હતા.
સંઘના વડાએ સિંધી ભાષા અને સંસ્કૃતિને બચાવવા માટે સિંધી યુનિવર્સિટીની સ્થાપના કરવાની પણ વાત કરી હતી. તેઓએ કહ્યું કે, ભારત બહુભાષી દેશ છે. દરેક ભાષાનું પોતાનું મહત્વ હોય છે. તેઓએ કહ્યું કે, કેટલાંક સિંધી ભાઈઓ પોતાની જમીન બચાવવા માટે પાકિસ્તાનમાં રહ્યાં જ્યારે ઘણા પોતાની જમીનની કિંમત પર ધર્મ બચાવવા માટે ભારત આવ્યા.
#WATCH | The society to which violence is dear is now counting its last days. Non-violent and peace-loving people will stay: Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat in Maharashtra's Amravati (28.04) pic.twitter.com/66bQDMUmMG
સરકાર હોય કે અન્ય કોઈ પણ, તે સમાજના દબાણમાં જ કામ કરે છે: ભાગવત
ભાગવતે કહ્યું કે, સિંધી સમુદાયે યુનિવર્સિટીની માંગણી સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કરવું જોઈએ. તેઓએ કહ્યું કે, તે સરકારનો ભાગ નથી, પરંતુ સરકાર હોય કે અન્ય કોઈ પણ, તે સમાજના દબાણમાં જ કામ કરે છે. સામાજિક દબાણ સરકાર માટે પેટ્રોલ જેવું જ કામ કરે છે.