બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma to lead, rest for Jasprit Bumrah: Team India's likely squad for ODI series against West Indies
Hiralal
Last Updated: 11:34 PM, 26 January 2022
વેસ્ટ ઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત થઈ છે. રવિ બિશ્નોઈને પહેલી વાર ટીમ ઈન્ડીયામાં સ્થાન અપાયું છે. કુલદીપ યાદવની કારકિર્દી છેલ્લા 2-3 વર્ષમાં ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે અને ગત વર્ષે તે ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો પણ હવે સંપૂર્ણપણે ફિટ ખેલાડીને ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવ ઉપરાંત રવિ બિશ્નોઈને પણ ટી-20 શ્રેણી માટે પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે.
વનડે ટીમમાં કોને કોને સ્થાન?
ODI squad: Rohit Sharma (Capt), KL Rahul (vc), Ruturaj Gaikwad, Shikhar, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Deepak Hooda, Rishabh Pant (wk), D Chahar, Shardul Thakur, Y Chahal, Kuldeep Yadav, Washington Sundar, Ravi Bishnoi, Mohd. Siraj, Prasidh Krishna, Avesh Khan
— BCCI (@BCCI) January 26, 2022
ભુવનેશ્વર કુમારને વનડે ટીમમાં જાળવી રખાયો
ભુવનેશ્વર કુમારને વનડે ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે પરંતુ ટી -૨૦ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. બંને ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે. કોહલી અને રવિ શાસ્ત્રીના જમાનામાં કુલદીપને ખાસ પ્રાધાન્ય આપવામાં આવતું નહતું પણ હવે તે ટીમમાં ટ્રમ્પનો એક્કો બની શકે છે.
T20 ટીમમાં કોને કોને સ્થાન?
T20I squad: Rohit Sharma(Capt),KL Rahul (vc),Ishan Kishan,Virat Kohli,Shreyas Iyer,Surya Kumar Yadav, Rishabh Pant (wk),Venkatesh Iyer,Deepak Chahar, Shardul Thakur, Ravi Bishnoi,Axar Patel, Yuzvendra Chahal, Washington Sundar, Mohd. Siraj, Bhuvneshwar, Avesh Khan, Harshal Patel
— BCCI (@BCCI) January 26, 2022
રોહિતને કુલદીપ પર વિશ્વાસ છે
જણાવી દઈએ કે કુલદીપ યાદવની પસંદગીમાં કેપ્ટન રોહિત શર્માનો મોટો હાથ સંભવ છે. રોહિત હવે કેપ્ટન બની ગયો છે અને તેને કુલદીપની પ્રતિભા પર ઘણો ભરોસો છે. કુલદીપ યાદવનો વન-ડે અને ટી-20નો રેકોર્ડ કમાલનો છે. ડાબોડી બોલરે 65 વન-ડેમાં 107 વિકેટ ઝડપી છે. ટી-20માં પણ કુલદીપે 23 મેચમાં 41 વિકેટ ઝડપી છે.
કોને અપાયો આરામ?
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ બીજી વનડેથી રમશે આર જાડેજા ઘૂંટણની ઈજા બાદ સ્વસ્થ થવાના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તે ODI અને T20I માટે રમેશે નહીં. અક્ષર પટેલ ફક્ત T20I માટે રમશે
Jasprit Bumrah, Mohd. Shami have been rested from the series.
— BCCI (@BCCI) January 26, 2022
KL Rahul will be available from 2nd ODI onwards.
R Jadeja is undergoing his final stage of recovery post his knee injury and will not be available for the ODIs and T20Is.
Axar Patel will be available for the T20Is.
રવિ બિશ્નોઈને પ્રથમ વખત ટીમમાં તક મળી
યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈને પહેલી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે. અંડર-19 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ બિશ્નોઈને પંજાબ કિંગ્સે આઈપીએલમાં તક આપી હતી જેમાં તેણે 23 મેચમાં 24 વિકેટ ઝડપી છે. બિશ્નોઈને હાલમાં જ લખનઉની ટીમે 4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
કોને જગ્યા ન મળી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિચંદ્રન અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં નહીં રમે. અશ્વિન આગામી દોઢ મહિના સુધી આરામ કરશે. રવિન્દ્ર જાડેજા ચોક્કસ ફિટ છે પરંતુ તેને થોડો વધુ આરામ આપવામાં આવી રહ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા ઓલરાઉન્ડર ઋષિ ધવનને પણ તક મળી નથી.
વેસ્ટ ઇન્ડીઝનો ભારત પ્રવાસ
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે ત્રણ વન ડેની શ્રેણી અમદાવાદમાં રમાશે. આ મેચો 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે. સાથે જ ટી-20 સીરીઝની ત્રણેય મેચ કોલકાતામાં રમાશે. ટી-20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners