બ્રિટનમાં ભારતીયોનો દબદબો; ભારતીય મુળના ઋષિ સુનકે બન્યા નવા PM,બ્રિટનમાં ભારતીયોની વસ્તી 35 લાખ
બ્રિટનમાં ભારતીયનો દબદબો
બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક
ઋષિ સુનક થેરેસા સરકાર મંત્રી રહી ચુક્યા છે
ભારતીયનો દબદબો દિવસેને દિવસે વધી રહ્યો છે. બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે જેમનું નામ સામે આવ્યું છે તેઓ ઋષિ સુનક મુળ ભારતીય છે. સુનકે ભારત સાથે સારી એવી મિત્રતા ધરાવે છે. જેનાથી ભારત અને બ્રિટનના સંબંધો વધુ મજબુત બનશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઋષિ સુનક ભારત સાથે સારા સંબંધો રાખ્યા છે જેથી PM બન્યા બાદ પણ સંબંધોમાં વધારો સારા થશે જેનાથી પરસ્પર બંન્ને દેશોને લાભદાયી સાબિત થશે
ઋષિ સુનકની રાજનીતિક સફર
વર્ષ 2015માં પ્રથમ વાર સંસદ બન્યા હતા, 2017માં બીજી વખત પણ બાજીમારી ગયા હતા. તેઓ થેરેસા સરકારમાં પ્રથમ વખત મંત્રી વર્ષ 2018માં બન્યા હતાં. સાંસદ દોરમાં તેઓ ત્રીજી વાર વર્ષ 2019માં બન્યા હતાં. તેમજ તેઓ 2019માં જોન્સન સરકારમાં મંત્રી પણ રહ્યાં છે. વર્ષ 2019માં નાણાં મંત્રી રહ્યાં તો વર્ષ 2022માં PM પણ બન્યા છે.
બ્રિટનમાં ભારતીયોનો દબદબો
બ્રિટનમાં ભારતીયોની વસ્તી 35 લાખ એટલે 5 ટકા છે. ત્યાં જીડીપીમાં યોગદાન 6 ટકા જેટલું છે એટલે કે, રૂ. 14 લાખ કરોડ છે. બ્રિટનમાં જન્મે પ્રવાસી સૌથી વધુ ભારતીયો છે
ભારતીય મૂળના ઋષિ સુનક કોણ છે?
ઋષિ સુનકના માતા-પિતા ભારતીય મૂળના છે. જોકે તેમનો જન્મ 12 મે 1980ના રોજ ઈંગ્લેન્ડના સાઉથેમ્પૈટનમાં થયો હતો. ઋષિ સુનકનું ભારતીય સંબંધ પ્રમાણે કંઈક આ પ્રમાણે છે. તેમના દાદા-દાદી ભારતમાંથી આફ્રિકામાં સ્થાયી થયા હતા. આ પછી તેના પિતા આફ્રિકાથી બ્રિટનમાં સ્થાયી થયા. ઋષિ સુનકના દાદા પંજાબથી તાંઝાનિયા શિફ્ટ થયા હતા. આ પછી તેની માતાનો પરિવાર તાન્ઝાનિયાથી બ્રિટન ગયો. તેમજ સુનકના માતા-પિતાએ બ્રિટનમાં જ લગ્ન કર્યા હતા.
ઋષિ સુનકનો જીવન પરિચય
ઋષિ સુનક 42 વર્ષના છે અને તેમણે પ્રખ્યાત બિઝનેસમેન નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે. ઋષિ અને અક્ષતાને બે દીકરીઓ કૃષ્ણા અને અનુષ્કા છે. ઋષિ સુનકે યુકેની બ્રિટનની વિન્ચેસ્ટર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી. આ પછી તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની લિંકન કોલેજમાંથી ફિલોસોફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી MBA કરેલું છે. સ્નાતક થયા પછી તેઓ થોડા વર્ષ રોકાણ ફર્મ ગોલ્ડમેન સૅસ સાથે પણ કામ કર્યું હતું. તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, એનાલિસ્ટ, ગોલ્ડમેન સૅસનો સારો અનુભવ પણ છે. તેઓ સૌથી ધનિક સંસદસભ્યોમાં તેમની ગણના થતી હતી. તેમની સંપત્તિ 7300 કરોડ રૂપિયાથી વધુ છે. તો સાથે સાથે તેમની પત્ની અક્ષતા તેમના કરતા વધુ પ્રભાવશાળી છે.
નવા નેતાની પસંદગીની પ્રક્રિયા
ઉમેદવારી માટે 20 સાંસદોનું સમર્થન જરૂરી છે. બીજા રાઉન્ડમાં 30થી ઓછા સાંસદોના વોટ મળવાર પર તેમને બહાર કરી દેવામાં આવે છે. છેલ્લા બે ઉમેદવારોની પસંદગી થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે. છેલ્લા જે બે ઉમેદવારો બચે છે તેઓ પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. પાર્ટીનો પસંદ કરાયેલો નેતા પીએમ બને છે.