કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન હોવાથી લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. એવામાં જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાન છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલાં રહે છે અને લોકોમાં જાગરૂકતા ફેલાઈ રહ્યાં છે. પણ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર એવા ટ્વિટ કરી રહ્યાં છે જેના કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. હાલમાં જ ઋષિ કપૂરે બે ટ્વિટ કરીને સરકારને આલ્કોહોલની દુકાનો ખુલ્લી રાખવા અપીલ કરી છે.
કોરોના વચ્ચે ઋષિ કપૂરની અપીલ ચોંકાવનારી
ઋષિએ સરકારને લીકરની દુકાનો ખુલ્લી રાખવા કરી અપીલ
સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યાં છે પ્રતિક્રિયા
ઋષિ કપૂર તેમના બેબાક નિવેદનોથી હમેશાં ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઋષિ કપૂરે સરકારને ઈમરજન્સી જાહેર કરવાની માંગ કરી હતી. ત્યારે હવે તેમણે ટ્વિટર પર તમામ રાજ્યોની સરકારને દારૂની દુકાનો ખુલ્લી રાખવા અપીલ કરી છે. જે બાદ લોકો ખૂબ રિએક્શન આપી રહ્યા છે.
Think. Government should for sometime in the evening open all licensed liquor stores. Don’t get me wrong. Man will be at home only what with all this depression, uncertainty around. Cops,doctors,civilians etc... need some release. Black mein to sell ho hi raha hai. ( cont. 2)
ઋષિએ લખ્યું, તમામ રાજ્યોની સરકારે સાંજના સમયે દારૂની દુકાનો ખુલ્લી રાખવી જોઈએ. મારો ખોટો મતલબ ન કાઢતા. લોકડાઉનના સમયે માણસ ઘરે બેસી ડિપ્રેશનમાં જીવવા મજબૂર છે. આ સમયે ડોક્ટરો અને પોલીસને પણ તણાવથી મુક્તિ જોઇએ. આમ પણ બ્લેકમાં તો બધે દારૂ મળી જ રહ્યું છે.
State governments desperately need the money from the excise. Frustration should not add up with depression. As it is pee to rahe hain legalize kar do no hypocrisy. My thoughts.
જોકે, હવે તેમની આ ટ્વિટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે કહ્યું જ્યાં અમારી સ્ટ્રગલ પૂરી થાય છે ત્યાં તેમની શરૂ થાય છે. અન્ય એક યુઝરે કહ્યું પરેશાન મગજ સાથે દારૂ પીવું ખતરનાક છે. જ્યાં કેટલાક યુઝરે આ વાતને ખોટી ગણાવી તો કેટલાકે તેનું સમર્થન પણ કર્યું. તો કેટલાકે કહ્યું બધી દુકાનો બંધ છે તો દારૂની દુકાનો ખોલવી અયોગ્ય છે.