rishi kapoor ashes immersed in banganga by ranbir kapoor mom neetu kapoor and girlfriend alia bhatt with him family was denied permission to go to haridwar
પુત્ર રણબીર કરૂરે માલાબાર હિલ એરિયામાં બાણ ગંગા ટૈંકમાં જ પિતા રિશી કપૂરની અસ્થિઓનું વિસર્જન કર્યું. આ દરમિયાન રણબીરની સાથે એની માતા નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર પણ હતી.
રિશી કપૂરની અસ્થિઓને વિસર્જિત કરવામાં આવી
બાણ ગંગા ટૈંકમાં જ પિતા રિશી કપૂરની અસ્થિઓનું વિસર્જન કર્યું
રણબીરની સાથે એની મા નીતૂ કપૂર અને બહેન રિદ્ધિમાં કપૂર પણ હતી
દિગ્ગજ કલાકાર રિશી કપૂરે રિલાયન્સ હૉસ્પિટલમાં 30 એપ્રિલે અંતિમ યસ્વાસ લીધા હતા. ત્યારબાદ હવે રિશી કપૂરની અસ્થિઓને વિસર્જિત કરવામાં આવી. પુત્ર રણબીર કપૂરે માલાબાર હિલ એરિયામાં બાણ ગંગા ટૈંકમાં જ પિતા રિશી કપૂરની અસ્થિઓનું વિસર્જન કર્યું. આ દરમિયાન રણબીરની સાથે એની મા નીતૂ કપૂર અને બહેન રિદ્ધિમાં કપૂર પણ હતી.
તો બીજી બાજુ આ દુખના સમયમાં રણબીરના મિત્ર અને એની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ડાયરેક્ટ આયાન મુખર્જી અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ સાથે નજરે આવી. આલિયા ભટ્ટ પણ એની સાથે નજરે આવી. શનિવારે રિશી કપૂરની શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિશી કપૂરના ભાઇ રણધીર કપૂરે જણાવ્યું કે રિશી કપૂરની અસ્થિઓને બાણગંગામાં પ્રવાહિત કરવામાં આવી છે.
એને પણ જણાવ્યું કે રિશી કપૂરના પરિવારને હરિદ્ધાર જવા માટે ના પાડી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર રણધીરે જણાવ્યું, 'અમે કાલ શનિવારે શોક સભા કરી હતી. એમની અસ્થિઓને બાણગંગામાં વિસર્જિત કરવામાં આવી છે. ઑથોરિટીથી હરિદ્વારા જવાની પરમિશન મળી નથી એવામાં બાણગંગામાં અસ્થિઓ પ્રવાત કરવી પડી.
રિશી કપૂરની અસ્થિઓ પ્રવાહિત કરતા વખતનો ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. રિશી કપૂર પોતાની મા નીતૂ કપૂરની સાથે નજરે આવી રહી છે. સફેદ શર્ટમાં રણબીર કપૂર પૂજા કરતો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આલિયા ભટ્ટ અને આયાન મુખર્જી પણ જોવા મળી રહી છે.
રણબીર બાણગંગાના કિનારે ઊભો રહીને સમગ્ર વિધિની સાથે અસ્થિઓ વિસર્જિત કરતો નજરે આવી રહ્યો છે અંતમાં તે પંડિતજીના પગે લાગે છે. ત્યારે આલિયા ભટ્ટ પણ પંડિતના પગે લાગતી નજરે આવી.
જણાવી દઇએ કે રિશી કપૂરને વર્ષ 2018માં કેન્સર થયું હતું, ત્યારબાદ તે એક વર્ષ માટે કેન્સર ટ્રીટમેન્ટ માટે વિદેશ ચાલ્યા ગયા હતા. એ ફરીથી ભારત ફરીને ફિલ્મ ધ બૉડીમાં કામ કર્યું. ત્યારબાદ એમની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. અચાનક 29 એપ્રિલની રાતે એમનું સ્વાસ્થ્ય વધારે બગાડ્યું અને બીજા દિવસે સવારે એમનું નિધન થઇ ગયું.