કોરોના વાયરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. ત્યારે અભિનેતા ઋષિ કપૂરે સરકારને સાંજના સમયે દારૂની દુકાનો ખુલ્લી રાખવા દેવા અપીલ કરી છે.
અભિનેતા ઋષિ કપૂરની સરકારને અપીલ
સરકાર સાંજે ખુલ્લી રાખે દારૂની દુકાન
લોકડાઉનમાં દૂર થશે સ્ટ્રેસઃ ઋષિ કપૂર
ઋષિ કપૂરે ટ્વીટ કરીને સરકારને રજૂઆત કરી છે કે, સરકારે સાંજના સમયે તમામ દારૂની દુકાન ખોલી દેવી જોઈએ. મને ખોટો ન સમજો, પરંતુ લોકો ઘરે બેસીને ડિપ્રેશનમાં જીવવા મજબૂર છે. ડોક્ટર, પોલીસવાળાને પણ તણાવમાંથી મુક્તી જોઈએ છે. આમ પણ બ્લેકમાં તો વેચાઈ રહ્યો છે.
નિરાશાને ડિપ્રેશન સાથે ન જોડવી જોઈએ
ઋષિ કપૂરે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારને અપીલ છે કે આ સમયે દારૂને લીગલાઈઝ કરી દેવાય.સરકારને આમ પણ અત્યારે એક્સાઈઝથી મળી રહેલા રૂપિયાની બહું જરૂર છે. આવુ કહેવું એ કોઈ કાયદાકીય પાખંડ નથી. નિરાશાને ડિપ્રેશન સાથે ન જોડવી જોઈએ. આ મારા વિચાર છે.
State governments desperately need the money from the excise. Frustration should not add up with depression. As it is pee to rahe hain legalize kar do no hypocrisy. My thoughts.
કેટલાક ટ્વીટર યુઝરે ઋષિ કપૂરને ઘેરવાનો પ્રયાસ કર્યો
તો બીજી તરફ કેટલાક ટ્વીટર યુઝરે ઋષિ કપૂરને ઘેરવાનો પ્રયાસ કર્યો. એક યુઝરે કહ્યું પરેશાન મન સાથે દારૂ પીવો એ વધારે ખતરનાક છે. જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે આવું કરવાથી પેનિક વધશે અને દુકાનો બહાર ભીડ જામશે.
Think. Government should for sometime in the evening open all licensed liquor stores. Don’t get me wrong. Man will be at home only what with all this depression, uncertainty around. Cops,doctors,civilians etc... need some release. Black mein to sell ho hi raha hai. ( cont. 2)
સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેનારા અને પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા ઋષિ કપૂરે એવા લોકો પર નારાજગી વ્યક્ત કરી છે જેઓ સરકારની વાત માની નથી રહ્યાં અને ઘરમાંથી બહાર નીકળી રહ્યાં છે અને આવું એ તમામ લોકો માટે તો ખતરનાક છે જ પરંતુ સમાજ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.