વિરાટ ક્હોલી બાદ રોહિત શર્મા નહી પરંતુ ઋષભ પંત પણ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની શકે છે. હાલ તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જેના પરથી સાબિત થાય છે તે તેમામાં કેપ્ટન બનવાની બધીજ લાયકાત છે.
ઋષભ પંત બની શકે છે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન
રોહિત શર્માનું સપનું તૂટે તેવી શક્યતા
હાલ દિલ્હી કેપીટલ્સનો કેપ્ટન છે ઋષભ પંત
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ ક્હોલીએ થોજાક સમય પહેલાજ ટી-20 વર્લ્ડ કપમાં રાજીનામું આપવાની જાહેરાક કરી હતી. વર્લ્ડ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમને હવે નવો કેપ્ટન મળવાનો છે. મોટા ભાગના લોકોને એવું લાગી રહ્યું છે કે રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે. પરંતું અન્ય એક ખેલાડી પણ છે રોહિત શર્માનો ટક્કરનો છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ જગ્યા બનાવી
આપને જણાવી દઈએ કે વિકેટકીપર ઋષભ પંત પણ કેપ્ટન બનવાનો દમ રાખે છે. સાથેજ તેણે પોતાની કેપ્ટનીનીની શરૂઆત પણ ઘણી સારી રીતે કરી છે. છેલ્લા ઘણા સમયથી ઋષભ પંતે ભારતીય ટીમમાં પોતાની અલગ જગ્યા બનાવી લીધી છે. અન્ય ખેલાડીઓની સરખામણીએ તેનું કરિયર પણ ઘણું લાંબુ છે.
રોહિત શર્માની ઉંમર 34 વર્ષ
રોહિત શર્માનું કેપ્ટન બનવું એટલા માટે મુશ્કેલ છે કારણકે તેની ઉંમર 34 વર્ષની થઈ ગઈ છે. થોડાક વર્ષો રહીને તે રિટાયર્ડ થઈ જશે. જેથી તેને લાંબા સમય સુધી કેપ્ટન બનાવામાં નવી આવી શકે. કારણકે બાદમાં ટીમને ફરી એક નવા કેપ્ટનની શોધ રહેશે. ત્યારે આ મામલે ઋષભ પંથ રોહિત શર્માની સરખામણીએ બેસ્ટ ઓપશન છે.
દિલ્હી કેપિટલમાં ઋષભ પંત કેપ્ટન
આઈપીએલમાં ઋષભ પંચે દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ ઘણી સારી રીતે કરી હતી. હાલ પણ દિલ્હી ટોપ પર છે. સાથેજ દિલ્હી આ વખતે આઈપીએલ જીતી પણ શકે છે. મેદાનમાં જોઈ શકાય છે કે પંત બધાજ બોલરોને ટ્રેન કરતો હોય છે. આજ રીતે ધોનીને પણ ઘણી વખત કેપ્ટનશીપ કરતો જોવામાં આવ્યો છે.
ધોનીની જેમ કેપ્ટન બનવાનો દમ
ઉલ્લેખનીય છે કે ઋષભપંત પણ ધોની જેવો દમ દેખાય છે. 2007માં જ્યારે ધોનીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી ત્યારે ધોનીએ તેની કેપ્ટનશીપ ઘણી સારી રીતે નિભાવી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે બે વર્લ્ડકપ અને ચેંપિયન ટ્રોફી જીતી હતી. આ વાત બધા જાણે છે કે વિકેટકીપર મેદાનમાં દરેક ખેલાડી કરતા વધારે ગેમને સમજી શકે છે. જેથી પંત પણ ધોનીની જેમ સફળ કેપ્ટન સાબિત થઈ શકે છે.