CAA પર દેશમાં સંગ્રામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મોદીએ કહ્યું કે 'દેશ માટે કામ કરવા માટે ઘણી વખત લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે.' જોકે આ વાત પીએમ મોદીએ આ વાત ASSOCHAMનાં કાર્યક્રમમાં GST અને ઈઝ ઓફ ડુઈંગનાં સંદર્ભમાં કહી હતી. પીએમ મોદી આજે એસોચેમ (ASSOCHAM)નાં 100 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે 100 વર્ષનો અનુભવ ખુબ મોટી પૂંજી છે. વડાપ્રધાને એસોચેમનાં બધા જ સદસ્યોને શુભકામનાઓ પણ પાઠવી હતી.
પીએમ મોદીએ કહ્યું કે 2020ની સાથે જ નવા દસકાની શરૂઆત થશે, નવો દસકો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેના માટે શુભેચ્છા.
અર્થવ્યસ્થા વ્યવસ્થિત રીતે ચાલે તે માટે અમે ઘણા પરિવર્તન કર્યા : મોદી
દેશમાં એવી સરકાર છે કે ખેડૂતો, મજુર અને વેપારી દરેકની વાત સાંભળે છે
પોતાના સંબોધનમાં પીએમે કહ્યું કે '70 વર્ષની ટેવ બદલવામાં સમય લાગે છે. પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમીની વાત ઓચિંતા જ નથી કરવામાં આવી. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે અર્થતંત્રને મજબુત કરવા ખુબ મેહનત કરી છે જે બાદ આ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.'
इसी Positivity के आधार पर हम 5 ट्रिलियन डॉलर की इकोनॉमी की तरफ बढ़ने वाले हैं।आने वाले वर्षों में इंफ्रास्ट्रक्चर पर 100 लाख करोड़ रुपए का निवेश, इसे ताकत देगा।देश की ग्रामीण अर्थव्यवस्था पर 25 लाख करोड़ रुपए का निवेश इस लक्ष्य को प्राप्त करने में मदद करेगा: PM @narendramodipic.twitter.com/tp7LlMKeR8
ASSOCHAMને અભિનદન પાઠવતાં તેમણે કહ્યું કે 'સો વર્ષમાં ઘણા બધા લોકોની આગેવાનીમાં તમે કામ કર્યું હશે, તમે બધા અભિનંદનને પાત્ર છો. સો વર્ષનો અર્થ છે તમે ભારતની આઝાદીનુ આંદોલન અને આઝાદી બાદનો સમય પણ જોયો છે.' પીએમ મોદીએ કહ્યું કે 2020ની સાથે જ નવા દસકાની શરૂઆત થશે, નવો દસકો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેના માટે શુભેચ્છા. અર્થવ્યસ્થા માટે તેમણે કહ્યું કે 'અર્થવ્યસ્થા વ્યવસ્થિત રીતે ચાલે તે માટે અમે ઘણા પરિવર્તન કર્યા છે.'
દેશમાં સંવેદનશીલ સરકાર : પીએમ મોદી
'મેં 2014માં દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાનું એલાન કર્યું હતું અને દેશે તે કરી બતાવ્યું. અમે ભારતની અર્થવ્યસ્થાને મજબુત કરવા માંગીએ છે જે માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને GST માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે દેશમાં એવી સરકાર છે કે ખેડૂતો, મજુર અને વેપારી દરેકની વાત સાંભળે છે. તેમની આવશ્યકતાઓને સમજવાના પ્રયત્નો કરવામાં આવે છે.' વડાપ્રધાને કાર્યક્રમમાં બધા જ ક્ષેત્રને આવરી લેતું સંબોધન કર્યું હતું.