બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / rifleman nishant malik injured in terror attack in army camp in jammu and kashmir's rajouri dies

જમ્મુ કાશ્મીર / રાજૌરીમાં આતંકીઓને ધૂળ ચટાડનાર રાઈફલમેન નિશાંત મલિક થયા શહિદ, આર્મી ચીફ મનોજ પાંડેએ આપી શ્રદ્ધાંજલિ

Mayur

Last Updated: 12:03 AM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરમાં રાજૌરીના એક આર્મી કેમ્પમાં ઘૂસેલા આતંકીઓને ઠાર કરવામાં ભારતે અગાઉ ત્રણ વીર જવાનોને ગુમાવ્યા હતા. ઇજાગ્રસ્ત રાઈફલમેન નિશાંત મલિક શહીદ થતાં મૃત્યુઆંક 4 થઈ ગયો છે.

  • જમ્મૂ કાશ્મીરથી મોટા સમાચાર 
  • બે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલાનો પ્રયાસ કર્યો 
  • બંને આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન શરૂ 
  • ચાર વીર સપૂતો દેશ માટે થયા શહીદ 

જમ્મૂ કાશ્મીરમાં રક્ષાબંધનના પાવન પર્વ પર જ આતંકવાદીઓ દેશના વીર જવાનોને મારવાના હેતુથી ઘૂસી આવ્યા હતા પરંતુ વીર સેનાએ આર્મી કેમ્પના ઘૂસી જનાર બંને આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું છે.

જોકે આ હુમલામાં દેશે આજે ચાર વીર જવાનોને પણ ગુમાવ્યા છે. આમાંથી ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર આવ્યા હતા પણ હવે ત્યાર બાદ હવે વધુ એક જવાન રાઈફલમેન નિશાંત મલિક પણ શહિદ થયા છે. 

બે આતંકવાદીઓ સાફ 
સ્વતંત્રતા દિવસ પહેલા ભારતમાં ઉરી જેવો આત્મઘાતી હુમલો કરવાની તૈયારી હતી. આજે આતંકવાદીઓ રાજૌરીના એક આર્મી કેમ્પમાં ઘૂસી આવ્યા જે બાદ સુરક્ષા જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધી અને બે આતંકી ઠાર થઈ ગયા. નોંધનીય છે કે બે આર્મી જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે અને સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે. 

ઉરી ઍટેક જેવો હુમલો કરવાની હતી તૈયારી 
નોંધનીય છે કે વર્ષ 2016માં કાશ્મીરના ઉરીમાં ચાર આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં દેશના 19 વીર જવાનો શહીદ થયા હતા. તે બાદ ભારતે પણ બદલાની કાર્યવાહી કરતાં pok માં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.

2 આતંકવાદીઓને ઠાર કર્યા 

રાઈફલમેન નિશાંત મલિક, જે બહાદુરીથી લડતા અને 2 આતંકવાદીઓને ઠાર મારતા ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના પરગલમાં તેમની ઇજાગ્રસ્ત હોવાના કારણે મૃત્યુ પામ્યા હતા.

સેનાએ કરી સેલ્યુટ 

ભારતીય સેનાએ કહ્યું કે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે અને તમામ રેન્ક રાઈફલમેન નિશાંત મલિકના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે, જેમણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ફરજ અદા કરતાં પોતાનો જીવ આપી દીધો હતો અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં ચાર જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ