સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સ એન્ગલમાં જેલમાં ગયેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઇ હાઇકોર્ટે રાહત આપી છે અને તે હાલ જેલની બહાર છે.
રિયાના વકીલે કર્યો ખુલાસો
મહિલા કેદીઓને શીખવતી હતી યોગા
રિયા બંગાળની વાઘણ છે, લડશે
28 દિવસ બાદ જેલની બહાર આવનાર એક્ટ્રેસ જેલમાં શું કરતી હતી તે જાણવામાં લોકોને રસ છે. રિયા જામિન પર બહાર તો આવી છે પરંતુ તે દેશની બહાર નહી જઇ શકે, સાથે જ તેને શહેરથી બહાર જવા માટે પણ પોલિસની પરવાનગીની જરૂર પડશે.
નફરત ફેલાવાનુ કેમ્પેન ચાલ્યુ
રિયા જેલમાંથી બહાર આવી બાદમાં તેના વકીલ સતીશ મનશિંદેએ કહ્યું કે, રિયા ચક્રવર્તી વિરુદ્ધ નફરત ફેલાવાનુ કેમ્પેન ચલાવવામાં આવ્યું કારણ કે તે સુશાંતને પ્રેમ કરતી હતી પરંતુ તે બંગાળની વાઘણ છે. સતીશ મનશિંદેએ એક મિડીયા ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, રિયાએ કેવી રીતે જેલમાં પોતાના દિવસ કાપ્યા.
જેલમાં યોગા શીખવાડતી હતી રિયા
રિયા ચક્રવર્તીએ જેલમાં કેવી રીતે દિવસ કાપ્યા તેને લઇને ઘણી અટકળો ચાલી રહી હતી. રિયા જેલમાં મહિલા કેદીઓને યોગા શીખવાડતી હતી. સતીશ કે જે રિયાના વકીલ છે તે પોતે જેલમાં રિયાને મળવા ગયા હતા.
રિયાના ભાઇની અરજી રદ્દ
મહત્વનું છે કે, મુંબઇ હાઇકોર્ટ તરફથી બુધવારે એક્ટ્રેસની જામિનની અરજી 1 લાખ રૂપિયાના બોન્ડ સાથે સ્વિકારવામાં આવી હતી. જો કે, રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીની જામિન રદ્દ કરી દેવામાં આવી હતી. રિયા સહિત દિપેશ અને મિરાન્ડાને પણ જામિન આપી દેવામાં આવી હતી.
સુશાંત કેસમાં ફસાઇ છે રિયા
સુશાંત સિંહ રાજપુત કેસમાં રિયા મુખ્ય આરોપી છે, સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી બાદમાં કેસની તપાસ થઇ અને એનસીબીએ ડ્રગ્સના મામલામાં તેની ધરપકડ કરી હતી.