જમ્મુ-કશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. જેનું કનેક્શન આતંકવાદી સંગઠન સાથે જણાવવામાં આવી રહ્યું છે.
કશ્મીર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
કશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જાણ કરી
ઘાટીમાં છેલ્લા એક વર્ષથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી
એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
કશ્મીરમાં તાજેતરના ટાર્ગેટ કિલિંગ દરમિયાન એક બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને મંગળવારે મોડી રાત્રે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ શોપિયાંમાં ઠાર માર્યા હતા. જમ્મુ-કશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી.કશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્કર સાથે સંકળાયેલા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન જમ્મુ-કશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન હેઠળ કરવામાં આવ્યું હતું.
— Kashmir Zone Police (@KashmirPolice) June 14, 2022
કશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જાણ કરી
કશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવેલા અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે - એક આતંકીની ઓળખ શોપિયાંના જાન મોહમ્મદ તરીકે થઈ છે. તે અન્ય આતંકી ઘટનાઓ સિવાય 2 જૂને કુલગામમાં એક બેંક મેનેજરની હત્યામાં પણ સામેલ હતો. ઉલ્લેખનીય છે કે, વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. કાશ્મીરના કુલગામમાં ડ્યુટી જોઇન કર્યા બાદ 2 જૂને આતંકીઓએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાં લગાવેલા કેમેરામાં જોવા મળ્યું કે એક આતંકવાદી બેંકમાં ઘૂસી ગયો હતો અને બેંક મેનેજરને ગોળી મારી હતી.
ઘાટીમાં છેલ્લા એક વર્ષથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી
બેંક મેનેજરની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તાજેતરના સમયમાં ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. છેલ્લા વર્ષથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સામે આવી રહી છે અને પરપ્રાંતિય મજૂરો અને સ્થાનિક લઘુમતીઓને સતત નિશાન બનાવવાના અહેવાલો છે.