તેલને વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
તેલને વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાથી થાય છે શરીરને નુકસાન
DNA બદલાઈ જાય છે
આવા તેલને સૂંઘવાથી પણ થાય છે જીવલેણ બીમારીઓ
તહેવારોની સિઝન શરૂ થવામાં છે. હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે. પિતૃ પક્ષમાં ભારતમાં ઘણી જગ્યાઓએ ભોજ કકરાવવામાં આવે છે. ઉત્તર ભારતનાં ઘણા હિસાઓમાં પૂરી બનાવવામાં આવે છે. ત્યારે બાદ વધેલા તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં કેમિકલ્સ આવી જાય છે. એક બે વાર તેલને ગરમ કરવામાં આવે તો ઠીક છે, પરંતુ રેસ્ટોરન્ટમાંઆ તેલને ત્યાર સુધી ગરમ કરવામાં આવે છે, જ્યાર સુધી તે ખતમ ન થઈ જાય.
તમારું DNA બદલી નાંખશે આ તેલ
જ્યારે તમે તેલને વારંવાર ગરમ કરો છો, તો તેના ગુણ બદલાઈ જાય છે અને પોશાક તત્વો ઝેરીલા થવા લાગે છે. આ પ્રકારનું તેલ લેવાથી જેનોટોક્સિક, મ્યુટેજેનિક અને કાર્સીનોજેનીકની ગતિવિધિ વધવા લાગે છે. શોધમાં જણાવવામાં આવ્યું છે કે આવું તેલ લેવાથી સેલ્સમાં તકલીફ થવા લાગે છે, તેના તૂટવાની ઝડપ વધી જાય છે અને તે ક્રોમોસોમને નુકસાન પહોંચાડે છે.
વધારે વાર તેલને ગરમ કરવા પર તેમાં હાઈડ્રોપેરોક્સાઈડ, એલ્ડીહાઈડ જેવા કેમિકલ બનવા લાગે છે અને આ કેમિકલ ખીરાક્ના માધ્યમથી શરીરમાં આવે છે. રીસર્ચગેટની એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેલને ફરી યૂઝ કરવાથી શું શું નુકસાન થાય છે.
આ તેલને સુંઘવાથી પણ થાય છે નુકસાન
જો કોઈ તેલણે વધારે વાર ગરમ કરવામાં આવે તો તેને ઘણા સમય સુધી વધારે તીવ્રતા સાથે ગરમ કરવામાં આવે છે અને એ તેલના ગંભીર નુકસાન તમારા શરીર પર જોવા મળશે. આ ઉપરાંત આ તેલ એટલું ખતરનાક થઇ જાય છે કે તેને સુંઘવાથી પણ જીવલેણ બીમારીઓ થઇ શકે છે.
રેસ્ટોરન્ટ - ઢાબામાં યુઝ થાય છે આ પ્રકારનું તેલ
મોટેભાગે આપણે કડાયામાં વધેલા તેલણે ફરી યુઝ કકરી લઈએ છીએ, પણ હોટલમાં તો તેલને વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યાર સુધી હોટલમાં તેલ ખતમ ન થઇ જાય, ત્યાર સુધી તેને ગરમ કરવામાં આવે છે. જેને કારણે બહારનું ખાવાથી બચવું જોઈએ.