લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક બાદ વધુ એક આંદોલનકારીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલન બાદ લાઈમ લાઈટમાં આવેલ રેશમા પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે. રેશમા પટેલ પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. રેશમા પટેલ NCPમાંથી લડી ચૂંટણી લડી શકે છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીના નિવેદન બાદ રેશમાના NCPમાં જોડાવાની અટકળોને વેગ મળ્યો છે.
મળતી માહિતી અનુસાર આ જાહેરાત ભાજપના નેતા રેશમા પટેલે કરી છે. તેમણે ભાજપ વિરુદ્વ લોકસભાની ચૂંટણ લડવાની જાહેરાત કરી છે. થોડા જ સમયમાં તેઓ ઔપચારિક જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ રેશમા પટેલ પોરબંદર અથવા જૂનાગઢથી અપક્ષ તરીકે ઉમેદવારી કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
મહત્વનું છે કે રેશમા પટેલ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યાં છે અને અગાઉ પણ તેઓ સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે જો તેઓ પોરબંદરથી ચૂંટણી લડે તો પોરબંદર બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળી શકે છે.