રિસર્ચ અનુસાર જે લોકોને વેક્સીન આપવામાં આવી તેમાંથી 97.38 ટકા લોકોને વાયરસ સામે રક્ષા મળી.
કોવિશીલ્ડ વેક્સીન પર રિસર્ચ કરવામાં આવ્યું
વેક્સિનેશન બાદ માત્ર 0.06 ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી
વેક્સિનેશનથી 97.38 ટકા લોકોને વાયરસથી સુરક્ષા મળી
કોવિડ-19 વેક્સિનેશનથી એક રાહત આપતા સમાચાર આવ્યા છે. તેનાથી વેક્સીન ન લેવા ઈચ્છતા લોકો પણ વેક્સીન લેવાનું મન બનાવી લેશે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના રિસર્ચમાં ખુલાસો થયો છે કે વેક્સિનેશન બાદ માત્ર 0.06 ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી અને વેક્સિનેશનથી 97.38 ટકા લોકોને વાયરસથી સુરક્ષા મળી.
હોસ્પિટલના રિસર્ચના પરિણામને મુલ્યાંકન માટે જાહેર કરી દીધા છે. અભિયાન પહેલા 100 દિવસો માટે રસીકરણમાં ઉપયોગમાં લેવામાં આવતી કોવિશીલ્ડ વેક્સીન પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં શામેલ હેલ્થ કેર વર્કર્સે દિલ્હીના ઈન્દ્રપ્રસ્થ હોસ્પિટલને સૂચના આપી છે કે તેને કોરોનાના લક્ષણ છે.
રસીકરણથી 97.38 ટકાને વાયરસથી મળી સુરક્ષા
અપોલો હોસ્પિટલના ગ્રુપ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર અનુપમ સિબલે ન્યૂઝ એજન્સીને કહ્યું, 'વર્તમાનમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના સંક્રમણના કેસમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. રસીકરણ અભિયાન સમયે જે જાહેર કરવામાં આવ્યા હતા. રસીકરણ બાદ પણ સંક્રમણની ખબરો આવી છે. આ સંક્રમણ આંશિક અથવા સંપૂર્ણ રીતે વેક્સિનેશન બાદ અમુક લોકોમાં થઈ શકે છે.' તેમણે એમ પણ કહ્યું કે રિસર્ચથી સંકેત મળે છે કે કોવિડ-19 રસીકરણથી 100 ટકા સુરક્ષા નથી મળતી.
તેમણે જણાવ્યું કે તેમના રિસર્ચમાં વેક્સિનનો ઉપયોગ કરી ચુકેલા લોકોને 97.38 ટકા સંક્રમણથી સુરક્ષા મળી હોસ્પિટલમાં દાખલ થવાની ટકાવારી 0.06 ટકા રહી. આ ઉપરાંત કોઈને આઈસીયૂમાં ન જવું પડ્યું અને ન કોઈ મોત થઈ. તેમણે જણાવ્યું કે વેક્સિનેશન માટે રિસર્ચ વધુ મજબૂતી આપે છે. રિસર્ચને 3,235 સ્વાસ્થ્ય કર્મિઓ પર કરવામાં આવ્યો હતો. 3,235 સ્વાસ્થ્ય કર્મિઓમાંથી કુલ 85ને રિસર્ચ સમયે કોરોના સંક્રમણ થયું. તેમાંથી 65નું સંપૂર્ણ રીતે રસીકરણ કરવામાં આવ્યું હતું. અને 20ને આંશિક કોવિડ-19 વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો હતો. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું કે મહિલાઓ સ્પષ્ટ રીતે વધારે પ્રભાવિત થઈ અને ઉંમરે સંક્રમણની ઘટનાને પ્રભાવિત નથી કર્યું.