વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ પાંચમી વન ડેમાં છેલ્લી વખત બ્લૂ જર્સીમાં નજરે પડનાર ધોનીના પ્રશંસકો માટે એક ખુશખબરી છે. ધોનીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે વન ડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બંને દેશોની વિરુદ્ધ થનારી આ વનડે સીરિઝ માટે જલ્દીથી ટીમની જાહેરાત કરવામાં આવશે.
રિપોર્ટ્સનું માનીએ તો પૂર્વ ભારતીય કેપ્ટનને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર થનારી ટી 20 શ્રેણી માટે પણ અજમાવી શકાય છે. ધોની ઉપરાંત યુવા લિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની જગ્યા પણ વન ડે અને ટી 20 ટીમમાં ફિક્સ માનવામાં આવી રહી છે. એવામાં દિનેશ કાર્તિકનું પાનું કપાઇ શકે છે.
સલામી બેટ્સમેન લોકેશ રાહુલની પસંદગીની પણ શંકા છે. ઓક્ટોબર બાદથી જ મેદાનથી દૂર રહેલા ધોનીની ગત સાત ઇન્ટરનેશનલ મેચ કોઇ ખાસ રહી નથી.
એમએસધોનીનું પ્રદર્શન ભલે ધમાકેદાર ના રહ્યું હોય પરંતુ મુખ્ય પસંદગી કર્તા એમએસકે પ્રસાદ પહેલાથી જ સ્પષ્ટ કહી ચુક્યા છે કે માહી 2019 વિશ્વ કપ ટીમમાં સામેલ થશે.
જણાવી દઇએ કે ટેસ્ટ શ્રૃંખલા બાદ ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વન ડે રમવાની છે. પછી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર 5 વન ડે મેચ રમવાની છે. ત્યારબાદ ત્રણ ટી 20 મેચની સીરિઝ રમવાની છે.