તાજમહેલને જોવા માટે લોકો આગ્રા સુધી જતા હોય છે. આ અદભુત તાજમહેલની કલાકૃતિ અમદવાદમાં એક્ઝીબીશનમાં પણ જોવા મળી છે.
કુરાનના શબ્દો ટાકીને આ તાજમહેલ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોતરણીનું વજન ૧૨૦ કિલો છે. તાજની તમામ વસ્તુને આબેહુબ કલાકૃતિરૂપે રજૂ કરવામાં આવી છે.
જેને બનાવતા ૯ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. અતિ સુક્ષ્મ રીતે તૈયાર કરેલા આ તાજમહેલના કુલ ૨૧ ભાગ છે અને એ એટલા મજબુત છે કે તૂટી શકે તેમ નથી. આ તાજમહેલની કાલાકૃતિને પ્રદર્શન માટે મુકાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.