બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ParthB
Last Updated: 07:51 PM, 19 January 2022
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સિનિયર સીટીઝન ખાસ કરીને એકલવાયું જીવન જીવતાં સિનિયર સિટીઝનની મદદ માટે નેશનલ હેલ્પ લાઈન "એલ્ડર લાઇન"નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.આ હેલ્પ લાઈન દ્વારા સિનિયર સીટીઝનને જરૂર માર્ગદર્શન, હૂંફ અને જરૂરી મદદ પુરી પાડવામાં આવશે
હેલ્પલાઇન અંતર્ગત ટોલ ફ્રી નંબર 14567 જાહેર કરાયો
આ પ્રસંગે સામાજિક ન્યાય અને આધિકારીક્તા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, સરકારના આ નવતર અભિગમથી રાજ્યભરમાં જીવન ગુજારતાં સિનિયર સીટીઝન તેમાંય ખાસ કરીને એકલવાયું જીવન જીવતાં સિનિયર સીટીઝન ખૂબદ મદદરૂપ સાબિત થશે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના કેબીનેટ મંત્રી પ્રદિપ પરમારે આ અંગે વિશેષ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની અને તેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો કે જેઓ તેમની ઢળતી જતી વયને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી તેમજ, જૈફ વયે પોતાના સંતાનોની દુર્લક્ષતાને કારણે એકાકી પણું અનુભવતા હોય છે તેવા વડીલોની સરકાર દ્વારા વિશેષ સંભાળ લેવાય તે હેતુ થી ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માધ્યમથી અને Help Age Indiaના સહયોગથી એલ્ડર લાઇન ગુજરાત–૧૪૫૬૭ને મંજૂરી આપવામાં આવેલ હતી જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગ દર્શન હેઠળ આજે આ હેલ્પ લાઇનનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે.
મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, આ હેલ્પ લાઈન સરકારી એજન્સીઓ સહિત અત્યંત પ્રતિબદ્ધ ભાગીદારોના સમૂહ દ્વારા જરૂરી માહિતી અને હસ્તક્ષેપ પ્રદાન કરીને ભારતના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરતી વિશ્વસનીય રાષ્ટ્રીય હેલ્પલાઇન બનાવીને વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે અને રાજ્ય સરકારશ્રીના વિવિધ આનુષાંગિક ખાતાઓ જેવા કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ,પોલિસ વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગ્રામ/શહેરી વિકાસ વિભાગ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, તમામ મહાનગર પાલિકા સત્ત મંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવાકે સાર-સંભાળ કાળજી, સલામતી,આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપન ની કામગીરી માટે ઉપરોક્ત દર્શાવેલ વિભાગો અને સંસ્થાઓ સાથે સંકલનમા રહી સહભાગિતાના ધોરણે કાર્ય કરશે.
મંત્રી પરમારે વધુમાં ઉમેર્યું હતું કે, આ હેલ્પ લાઈનના મુખ્ય ઉદ્દેશ્યો જોઈએ તો આધાર અને માર્ગદર્શન આપવા માટે રાજ્યના દરેક વરિષ્ઠ નાગરિક સુધી પહોંચવું,વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમની માહિતીનો પ્રસાર કરવો, સરકારી કાર્યક્રમના અમલીકરણ સંબંધિત પ્રશ્નોની સુવિધા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરવી, વરિષ્ઠ નાગરિકોમાં આશા અને વિશ્વાસ કેળવવો,અને તેમને ખુશી આનંદમાં વધારો કરવામાં મદદ કરવી,વરિષ્ઠ નાગરિકોની વિવિધ આવશ્યકતાઓને સમજવા માટે, અને, જરૂરી નીતિઓ અને અમલીકરણ પદ્ધતિ બનાવીને આ માટે માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અને દુરુપયોગના કિસ્સામાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે.
મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, આ હેલ્પ લાઈન દ્વારા વરિષ્ડ નાગરિકોને આરોગ્ય, જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, વગેરેની માહિતી પુરી પાડવામાં આવશે. તેમજ રાજ્યના વરિષ્ઠ નાગરિકોને કાનૂની સલાહ-વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તરે પુરી પાડી અને સરકારશ્રીની વૃધ્ધ પેન્શન યોજના જેવી વિવિધ યોજઆઓ અંગે માર્ગદર્શન પુરૂં પાડી તેમજ મિલકત –વિવાદોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડી તેઓ સ્વમાનભેર પોતાની જીંદગી જેવી શકે તે માટે શક્ય તેવી તમામ સહાય પુરી પાડવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news