યુપી સરકારના નવા આદેશ અનુસાર, હવેથી રાજ્યમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય.
યોગી સરકારનો સૌથી મોટો નિર્ણય
હવેથી UPમાં પરવાનગી વિના ધાર્મિક શોભાયાત્રા નહીં કાઢી શકાય
રામનવમી-હનુમાન જયંતિ પર અનેક જગ્યાએ ઘટી છે હિંસાની ઘટનાઓ
હવેથી યુપીમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય. આ સંદર્ભે યોગી સરકારે સોમવારે મહત્વનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ અનુસાર, હવેથી રાજ્યમાં શોભાયાત્રા નીકાળતા પહેલાં આયોજકો પાસેથી શાંતિ અને સૌહાર્દ જાળવવા અંગે એફિડેવિટ લેવામાં આવશે.
कोई शोभायात्रा/धार्मिक जुलूस बिना विधिवत अनुमति के न निकाली जाए। अनुमति से पूर्व आयोजक से शांति-सौहार्द कायम रखने के संबंध में शपथ पत्र लिया जाए।
अनुमति केवल उन्हीं धार्मिक जुलूसों को दिया जाए, जो पारंपरिक हों, नए आयोजनों को अनावश्यक अनुमति न दी जाए:#UPCM श्री @myogiadityanath जी
મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'હવેથી કોઈ શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ પરવાનગી વિના નીકાળવામાં નહીં આવે. પરવાનગી પહેલાં, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવામાં આવશે. ફક્ત એ લોકોને જ ધાર્મિક સરઘસ નીકાળવાની પરવાનગી અપાશે કે જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ.'
રામનવમી-હનુમાન જયંતિ પર સામે આવી હિંસાની ઘટનાઓ
જણાવી દઇએ કે, યોગી સરકારનો આ આદેશ પણ એવાં સમયે આપવામાં આવ્યો કે જ્યારે હાલમાં રામનવમી અને હનુમાન જયંતિના અવસર પર દેશના અલગ-અલગ રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. એ સિવાય દિલ્હીના જહાંગીરપુરીમાં પણ હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી.