ભગવાન શિવને જ્યારે પણ યાદ કરવામાં આવે તો એમના પાવન તીર્થ ધામ અમરનાથ અને કેદારનાથનું ધ્યાન આવે છે. પરંતુ ભોલેનાથથી જોડયેલું એક એવું પણ સ્થાન છે જેના માટે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને ઝણાવીશું શિવ ખોડી ગુફા માટે. જેમાં ભગવાન શિવ પોતાના પરિવાર સાથે બિરાજમાન છે.
જમ્મુના રયાસી જિલ્લામાં શિવ ખોડી ગુફા સ્થિત છે. કહેવામાં આવે છે કે અહીંયા ભગવાન સાક્ષાત બિરાજમાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે એનો બીજો કિનારો અમરનાથ ગુફામાં ખુલે છે. અહીંયા 4 ફીટ ઊંચું શિવલિંગ બિરાજમાન છે. હેરના કરનારી વાત એ છે કે શિવલિંગની ઉપર પ્રાકૃતિક રીતે પવિત્ર પાણીની ધારા પડે છે. આ જગ્યા પર પિન્ડિઓના રૂપમાં માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય પણ બિરાજમાન છે.
આ ગુફા માટે કહેવાય છે કે એક વખત ભસ્માસુરે ઘોર તપ ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભોલેનાથે એ વખતે વરદાન માંગવાનું કહ્યું અને એને માંગ્યું કે એ જેને પણ હાથ લગાવે એ એ જ સમયે ભસ્મ થઇ જાય. શિવ જી તથાસ્તુ કહીને એને વરદાન આપી દીધું. વરદાન મેળવ્યા બાદ તરત રાક્ષસ ભગવાનને ભસ્મ કરવા માટે એમની તરફ દોડી પડ્યા. બંને વચ્ચે ધમાસણ યુદ્ધ થયું. ભોલે બાબા એમનો વધ કરવામાં સમર્થ નહતા એટલા માટે એમને એક ગુફા બનાવી અને એમા જઇને છુપાઇ ગયા. મહાદેવને આ રીતે છુપાવતા જોઇને શ્રી હરિએ મોહીનીનું રૂપ ધારણ કર્યું ભસ્માસુરને મનાવવા માટે એમની સાથે પહોંચી ગયા. એ રાક્ષસ મોહિનીને જોઇને બધું જ ભૂલી ગયા અને એમની સાથે નાચવા લાગ્યા. નૃત્ય કરતી વખતે એને એમના હાથ પોતાના જ માથા પર મૂકી દીધો અને ભસ્મ થઇ ગયા. એના પશ્ચાયત ભગવાન એ ગુફાથી બહાર આવી ગયા. પ્રભુએ પોતે આ ગુફાનું નિર્માણ કર્યું હતું અને બાદમાં એ જગ્યાનું નામ શિવ ખોડી ગુફા વિખ્યાત થયું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જે કોઇ શિવલિંગ અને પિન્ડિઓના દર્શન કરવા આગળની તરફ વધે છે એ ક્યારેય પાછું આવતું નથી.