વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનમાં જો વાસ્તુ સંબંધિત કોઇ દોષ હોય છે તો તેથી દુકાનમાં નકારાત્મક ઉર્જા વધે છે. જેના કારણે વ્યાપારમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. તેથી વાસ્તુમાં કેટલાક ઉપાય અને સાવધાનીઓ બતાવામાં આવી છે જેના પર ધ્યાન આપવાથી દુકાનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
દુકાનનું પ્રવેશદ્વાર અને દુકાનમાં બેસવાની દિશા પણ વેપારને અસર કરે છે. દુકાનદારની દુકાનમાં બેસવાની દિશાનો પણ વેપાર પર ઘણો પ્રભાવ પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં બતાવાયું છે કે દુકાનદાર જો દુકાનમાં ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસવું જોઇએ. કેમકે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે.
જો દુકાનદાર આ દિશા તરફ મોં રાખીને બેસે છે તો તેથી કુબેરની કૃપા બની રહે છે. અને ધનની ક્યારેય કમી રહેતી નથી.
દુકાનનું પ્રવેશ દ્વાર કઇ દિશામાં હોવું જોઇએ
જો પ્રવેશ દ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય છે તો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ શુભ દિશા માનવામાં આવે છે. તેના કારણે વેપારમાં રાત અને દિવસ સતત પ્રગતિ થાય છે. વેપારમાં સતત વૃદ્ધિ થાય છે.
દુકાનનું પ્રવેશદ્વાર જો પૂર્વ તરફ થાય છે તો વ્યવસાયમાં લાભ મળે છે. જ્યારે ઉત્તર દિશાના પ્રવેશદ્વારથી ધનમાં ખૂબ વધારો થાય છે. માર્કેટમાં આપની દુકાનનું નામ બને છે. જો દુકાનનું પ્રવેશદ્રાર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં હોય છે તો એ સારું માનવામાં આવતું નથી. બંને માંથી કોઇપણ દિશાની પસંદગી આપના વેપાર માટે ઠીક માનવામાં આવતી નથી.
જો કરિયાણા કે મનોરંજન સેવાઓની દુકાનનો પ્રવેશ દ્વાર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં શુભ માનવામાં આવે છે.