વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવને ગોળી મારવાના નિવેદન પર રાહત, ચૂંટણીપંચે નિવેદન ચોક્કસ વર્ગને બદલે જનરલ હોવાનું તારવ્યુ
વિવાદિત નિવેદન મુદ્દે મધુ શ્રીવાસ્તવને રાહત
ગોળી મારવાના નિવેદન પર મધુ શ્રીવાસ્તવને રાહત
ચૂંટણીપંચે નિવેદન ચોક્કસ વર્ગને બદલે જનરલ હોવાનું તારવ્યુ
ગુજરત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નવિદેનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે, મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો છે. બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે ચૂંટણીપંચે નિવેદન ચોક્કસ વર્ગને બદલે જનરલ હોવાનું તારવ્યુ છે.
વિવાદિત નિવેદન મુદ્દે મધુ શ્રીવાસ્તવને રાહત
વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવને વિવાદિત નિવેદન મુદ્દો મોટી રાહત મળી છે. ગોળી મારવાના નિવેદન પર મધુ શ્રીવાસ્તવને રાહત મળી છે. ચૂંટણીપંચે નિવેદન ચોક્કસ વર્ગને બદલે જનરલ હોવાનું તારવ્યુ છે. પ્રાથમિક રીતે કોઈપણ આચાર સંહિતા ભંગ નહીનો રિપોર્ટમાં ઉલ્લેખ થયેલો છે
ચૂંટણીપંચે કલેક્ટર પાસે અહેવાલ મંગાવ્યો હતો
મધુ શ્રીવાસ્તવના ગોળી મારવા મદ્દે ચૂંટણીપંચની સુઓમોટો સામે આવ્યો હતો અને એડિશનલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર કુલદીપ આર્યએ માહિતી આપી હતી કે ચૂંટણીપંચે વડોદરા કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો હતો. મધુ શ્રીવાસ્તવના ગોળી મારવાના નિવેદન લઈ કલેક્ટર પાસે અહેવાલ મંગાવ્યો હતો જે બાબતે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એ બી ગોરનું નિવેદન સામે આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવના નિવેદન મામલે ચૂંટણીપંચે અહેવાલ મંગાવ્યો હતો જે ચૂંટણીપંચને પ્રાથમિક અહેવાલ મોકલી આપ્યો હતો. વિવાદિત નિવેદન મુદ્દે મધુ શ્રીવાસ્તવને ચૂંટણીપંચે રાહત આપી છે.
શું હતો સમગ્ર મામલો?
વડોદરાની વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી પત્તું કપાય બાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાંથી ફોર્મ ભરતા સમયે રેલી કાઢતી વેળાએ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, મારા વિરોધીઓને ચેતવણી છે કે, આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે. જે મુદ્દે ચૂંટણી પંચે કલેક્ટર પાસે અહેલાલ મંગાવ્યો હતો. મહત્વનું છે કે, વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી હતી. વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે.