લોકડાઉનમાં નોકરી ગુમાવનારા લોકો માટે સારા સમચાર છે. સરકાર તેમને રાહત આપવ માટે એક સ્કીમ લઈને આવી રહી છે. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ઈએસઆઈસીની સાથે રજિસ્ટર્ડ કામગારોને ફાયદો મળશે. જો લોકડાઉન દરમિયાન તેમની નોકરી છુટી ગઈ હતી તો તે બેરોજગારી રાહત તરીકે પોતાના વેતનમાં 50 ટકાનો ક્લેમ કરી શકે છે. તે ફક્ત ત્રણ મહિનામાં માટે આ દાવો કરવાનો રહેશે.
ESIC માટે 44 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી રહી
ફક્ત ત્રણ મહિનામાં માટે આ દાવો કરવાનો રહેશે
બેરોજગારી રાહત તરીકે પોતાના વેતનમાં 50 ટકાનો ક્લેમ કરી શકે
એ લોકોને પણ આનો ફાયદો મળશે જેમને ફરી નોકરી મળી ગઈ છે. ESIC માટે 44 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. જલ્દી આ અંગે જાહેરાત કરવામાં આવશે. પરંતુ મિનિસ્ટ્રીના એક અધિકારીએ એક ન્યૂઝ પેપર સાથે વાત કરતા જણાવ્યું કે આ યોજના પર કોઈ ખાસ ધ્યાન નથી અપાયું પરંતુ આવનારા દિવસોમાં આ ઝડપથી આવવાની શક્યતા છે. મંત્રાલય આના પ્રચાર પ્રસાર માટે યોજના બનાવી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુંસાર આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ફિજિકલી ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા પડશે. કેમ કે લાભાર્થી આધારથી નથી જોડાયેલા. આનો ફાયદો ESICના એ સભ્યોને મળશે જે ડિસેમ્બર સુધી પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે.
વધુમાં જણાવ્યું કે આ યોજના હેઠળ રોજના અંદાજે 400 ક્લેમ આવી રહ્યા છે. ESIC અને લેબર મિનિસ્ટ્રીએ આની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત બેરોજગારી રાહત 25 ટકા વધારી 50 ટકા કરવામાં આવી છે. લોકડાઉનમાં નોકરી ગુમાવનારને બિમીત કામગારો માટેની યોગ્યતામાં છુટ આપી રહ્યા છે.