રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ દૂર કરવા માટે બેઠકનો દોર શરૂ કરી દેવાયો છે. જેમાં સફળતા પણ મળી છે.
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ખટરાગ મામલે દિલ્હી ખાતે બેઠક
કોંગ્રેસ દ્વારા આંતરિક ડેમેજ કંટ્રોલ કરવા કવાયત
અશોક ગહેલોત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના રહ્યા હાજર
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ખટરાગ અને અંદરો અંદરની ટાંટીયાખેચ તથા મધ્યપ્રદેશની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાન દિલ્હી ખાતે હાઈકમાન્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હોવાનું સામે આવતા કોંગ્રેસ દ્વારા આંતરિક ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે દિલ્હીમાં અશોક ગહેલોત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ઉચ્ચ આગેવાનોની બેઠક યોજાઇ હતી.
#WATCH | Congress leader Rahul Gandhi arrives at the residence of party president Mallikarjun Kharge, where Rajasthan CM Ashok Gehlot is also present pic.twitter.com/VM3isRQUnK
આ બેઠકમાં સચિન પાયલોટ પણ સહભાગી થયા હતા. ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સચિન પાયલોટ અને સીએમ અશોક ગહેલોત વચ્ચે સમાધાન કરી ઘીના ઠામમાં ઘી પાડી દેવામાં આવ્યું છે. લાંબી સમજાવટ બાદ હવે રાજસ્થાનમા સચિન પાયલોટ અને સીએમ અશોક ગહેલોતના વડપણ હેઠળ ચૂંટણી લડવામાં આવશે. બેઠક બાદ જ્યારે પાર્ટીના નેતાઓને સવાલ કરવામા આવ્યો કે કોના વડપણ હેઠળ ચૂંટણી લડવામાં આવશે? ત્યારે વેણુગોપાલ સહિતના નેતાઓએ બન્ને નેતાના નામ તરફ ઈશારો કર્યો હતો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બેઠક બાદ રાજસ્થાનમાં સચિનના મુદ્દે લાંબી ચર્ચા કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો આ બેઠકમાં કોઈ ઉકેલ નહિ આવે તો સચિન કોઈ મોટું પગલું લઈ શકે છે. આ દરમિયાન તેણે ટ્વીટ કરીને કહ્યું કે પોતે મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને બેઠકમાં સહભાગી થઈ રહ્યા છે. કર્ણાટકની જેમ જ એમપીમાં પણ યશસ્વી પ્રદર્શનનો દાવો કર્યો હતો. નોંધનિય છે કે લાંબા સમયથી અશોક ગહેલોત અને સચિન વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે.