મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં મંદીને લઇને મોટુ નિવેદન આપ્યું છે. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે મંદીના કારણે કોઇ ઉદ્યોગ બંધ થયા નથી. જો કે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેજી તો માત્ર ભાજપને છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદીની વાતને અફવા ગણાવી હતી. જેને લઇને કહ્યું કે મંદીથી કોઇ ઉદ્યોગ બંધ થયા નથી. કોઇ MSME બંધ થયા નથી. મંદી આવશે તો તેની કોઇ અસર નહીં થાય.
મંદી મુદ્દે સીએમ રૂપાણીના નિવેદન પર શક્તિસિંહની પ્રતિક્રિયા
મંદી મુદ્દે સીએમ રૂપાણીએ આપેલા નિવેદન પર કોંગ્રેસ નેતા શક્તિસિંહે ગોહીલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેજી માત્ર ભાજપને જ છે. શક્તિસિંહે કહ્યું કે ભાજપને ક્યાંય મંદી દેખાતી નથી. દેશ આખામાં મંદી છે.
CM રૂપાણીના નિવેદનથી વેપારીઓમાં આશ્ચર્ય
સીએમ રૂપાણીએ આપેલા મંદીના નિવેદનથી વેપારીઓમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. અમદાવાદ-સુરતના વેપારીઓનો મંદી મુદ્દે અભિપ્રાય આપ્યાં છે.
સોલાર પેનલ મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન
સીએમ રૂપાણીએ કહ્યું કે પ્રતિ યુનીટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80નો ફાયદો થશે. થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી ખરીદી શકાશે. મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત મર્યાદા દૂર કરવામાં આવી છે.
હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. જો MSME એકમો પોતાના સ્વ વપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે.
રાજ્ય સરકારે ગ્રીન–ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમોને પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત ઊર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કરી છે.
ઊર્જામંત્રી સૌરભ પટેલેનું નિવેદન
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, સૌરઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત અપાઇ છે. રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઇ છે.