એક્સપર્ટ લોકોનું કહેવું છે કે આ બીમારી માત્ર કોરોના પોઝિટિવ લોકોને જ થાય છે તેવા વહેમમાં રહેવું નહીં.
કોરોના વગર પણ આ બીમારીનું ઇન્ફેકશન થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને જોખમ વધુ
AIIMS ના ડોક્ટરે પણ જણાવ્યા આ પાછળના કારણ
કોરોના વગર પણ આ બીમારીનું ઇન્ફેકશન થઈ શકે છે.
દેશમાં હવે કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસનો રોગ પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે અને આ રોગના કારણે દેશના ઘણા રાજ્યોમાં તેને મહામારી ઘોષિત કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એક્સપર્ટ લોકોનું કહેવું છે કે જરૂરી નથી કે કોરોના દર્દીને જ આ બીમારી થાય છે, પણ કોરોના ના થયો હોય તેમ છતાં બ્લેક ફંગસ થયું હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે.
ડાયાબિટીસના દર્દીઓને જોખમ વધુ
નીતિ આયોગના સભ્ય ડોકટર વી કે પોલનું કહેવું છે કે કોરોના પહેલા પણ આ બ્લેક ફંગસનો રોગ હતો જ. મેડિકલ સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સને કહેવામાં આવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓને પણ થઈ શકે છે. જેમનો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતો, અને તેમને આ ઇન્ફેકશનનો ખતરો વધુ છે. આ સિવાય બીજી ઘણી બિમારીઓને કારણે બ્લેક ફંગસ થઈ શકે છે.
AIIMS ના ડોક્ટરે પણ જણાવ્યા આ પાછળના કારણ
ડૉ. પોલે વધુમાં આ વિશે કહ્યું કે જે લોકોનું શુગર લેવલ 700 થી 800 સુધી પહોંચી જાય છે તેવા લોકોને પણ બ્લેક ફંગસ થવાનો ખતરો વધુ છે. બાળકોથી લઈ વૃધ્ધો પણ આ રોગના શિકાર બની શકે છે. સાથે જ AIIMSના ડોકટર નિખિલ ટંડનનું કહેવું છે કે સ્વસ્થ લોકોએ આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે માત્ર તેમણે થવાનું જોખમ વધુ છે. ટંડનનું કહેવું છે કે એવું પણ બની શકે કે કોરોનાની બીજી લહેરે પહેલી લહેરના પ્રમાણમાં ઇમ્યુનિટી પર વધુ હુમલો કરતો છે. જેમાં કારણે બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેર કરતાં વધુ લોકો સંક્રમિત થયા છે. આ જ કારણ છે કે બ્લેક ફંગસના કેસો રોજે રોજ વધી રહ્યા છે. સાથે જ બીજી લહેરમાં સ્ટેરોઇડનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થયો છે.