ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા યોજાવાની છે, 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષા માટે રાજ્યમાં 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટીની 3437 જેટલી જગ્યા માટે આ ભરતી ચાલી રહી છે. દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્ત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે.
કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દાહોદ, તાપી, ડાંગ તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે.
સુરતબારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીનાં બમરોલી નજીક અકસ્માતમાં 6 નાં મોત નિપજ્યા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં 3 મહિલા, 1 બાળકી, 1 પુરૂષ તેમજ 1 બાળકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ બારડોલી પોલીસને થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારે મૃતક પરિવાર સુરત જીલ્લાનાં માંડવીનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ચોતરફ કૃષિપાકને ભારે નુકસાન થયું છે. અગાઉનાં માવઠાથી ખેડૂતોનાં દર્દ વચ્ચે વધુ એકવાર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજ્યમાં કમોસમી વરસાદે ખેતરમાં તૈયાર પાકને મોટાપાયે નુકસાન કર્યુ છે. આ સાથે અનેક જિલ્લામાં સતત વરસેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર સાબિત થયો છે. મહામહેનતે ખેડૂતોએ તૈયાર કરેલા પાક પર કમોસમી વરસાદે પાણી પાણી ફેરવી દીધું છે. ત્યારે રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદથી નુકસાનીના પેકેજનો સરકારે ઠરાવ કર્યો છે.ઠરાવ મુજબ, ખેડૂતોએ સહાય મેળવવા ઓફલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને આ અરજી કરવાની રહેશે. સરકારે 13 જિલ્લાના 48 તાલુકાના નામ જાહેર કર્યા છે. સરકારે રાજકોટ જિલ્લામાં માત્ર જસદણ તાલુકાનો પેકેજમાં સમાવેશ કર્યો છે. તો જૂનાગઢમાં વિસાવદર તાલુકાનો પેકેજમાં સમાવેશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાનો પેકેજમાં સમાવેશ કરાયો છે. કચ્છ અને અમરેલીના 9-9 તાલુકાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તાપી, સુરત, જામનગર, અમદાવાદના 2-2 તાલુકાનો સમાવેશ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેડાની ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક બાળકોની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદની સરકારી કચેરીમાં VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. VTV NEWSના રિયાલિટી ચેકમાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. VTV NEWSની ટીમ જ્યારે અમદાવાદના વેજલપુર જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી ત્યારે વેજલપુર જન સેવા કેન્દ્રમાં રામભરોષે વાળા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે ઈન્ટરનેટ સેવા ખોરવાતા દસ્તાવેજની કામગીરી અટકી હતી.
સુરતમાં ફરી એક વખત શર્મશાર ઘટના સામે આવી છે. એક 13 વર્ષની સગીરા સાથે સાવકા પિતા, કાકા, બે ભાઈ અને અન્ય એક ઇસમે દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ ઘટનાને લઇ ત્રણ આરોપીની ધરપકડ કરી એક બાળ કિશોરની અટકાયત કરી છે.
રાજકોટમાં મૂળ પાકિસ્તાની નાગરિકોને લઈ પોલીસમાં દોડધામ મચી છે. મૂળ પાકિસ્તાની નાગરિક ભારતની નાગરિતા મેળવી પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા જો કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે આરોપીઓને દબોચી લીધા છે.મહેશ્વરી સમાજના 50થી 60 લોકોનો કચ્છથી કરાચી જવાનો પ્લાન હતો જે બાબતે રાજકોટ બી-ડિવિઝન પોલીસ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમને જાણ થતાં તેમણે તપાસ હાથ ધરી છે. મહેશ્વરી સમાજના લોકો રાજકોટ છોડે તે પૂર્વે પોલીસને જાણ થી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ પાકિસ્તાનના નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી
ગળતેશ્વરમાં માતાનો પોતાના દિકરા-દિકરી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. સેવાલીયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે મહિલાએ શા કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે. આ બાબતે ભુપતભાઈએ જણાવ્યું હતું કે, હું ગામનો સરપંચ છું. જે મહિલા તેમજ બાળકોની લાશ મળી આવી એ મારા ગામનાં છે. તે ગત રોજ 10 થી 11 વાગ્યાનાં સુમારે તૈયાર થઈને નીકળ્યા હતા. જે બાદ તેમની લાશ મળી આવી છે. જે મહિલાની લાશ મળી આવી છે તેમની માનસિકતા થોડી ઓછી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. મતદારોને આકર્ષવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે બદામીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે નક્કી કર્યું છે કે તે પોતાની જૂની આદતો છોડવાની નથી. તે તુષ્ટીકરણ, તાળાબંધી અને દુરુપયોગને માત્ર ચૂંટણીનો મુદ્દો બનાવશે. ભાજપની ગરીબ કલ્યાણકારી નીતિઓ પર લોકડાઉન, ઓબીસી અને લિંગાયત સમુદાયનો દુર્વ્યવહાર, સમગ્ર કર્ણાટક કોંગ્રેસની આ કૂટનીતિથી નારાજ છે.પીએમ મોદીએ કહ્યું કે આજે પણ કોંગ્રેસના લોકો દેશ અને દુનિયામાં ભારતને લોકશાહીની માતા કહેવાની હિંમત નથી કરતા. તેઓ માત્ર ભારતની લોકશાહી પર હુમલો કરે છે. આ ગુલામીની માનસિકતા છે જેમાંથી આજે ભારત બહાર આવી રહ્યું છે. કોંગ્રેસની કુકર્મોને કારણે આપણો દેશ પછાત રહ્યો. જે પાર્ટીનો ટ્રેક રેકોર્ડ 85 ટકા કમિશન ખાવાનો છે તે સામાન્ય માણસ વિશે વિચારી શકતો નથી. ભાજપ સરકાર તેની સંસ્કૃતિ અને તેના વારસાને સમર્પિત છે.
#WATCH | Today Haveri is moving ahead to write a story of development. The Yediyurappa & Bommai led double-engine government brought new medical & engineering colleges & a new milk plant in Haveri. The BJP govt is investing in road, rail & connectivity infrastructure. People of… pic.twitter.com/Dep8Mecypw
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ હવે સોનિયા ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરી ગયા છે. આજે સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકના હુબલી પહોચી ગયા છે. જ્યાં તેઓ ચૂંટણી રેલીને સંબોધીત કરશે. સોનિયા ગાંધીની આ પ્રથમ ચૂંટણી જાહેર સભા છે. હાલમાં મે 2019થી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ છે. સોનિયા ગાંધીએ છેલ્લી વખત 2 મે 2019ના રોજ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણીની બહાર જાહેર સભામાં તેમનું છેલ્લું ભાષણ 14 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં હતું, જ્યાં તેમણે ભારત બચાવો રેલીમાં ભાષણ આપ્યું હતું. જોકે તેણીએ પાર્ટીના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તે પ્રચાર અને જાહેર સભાઓથી દૂર રહી હતી.
CPP Chairperson Smt. Sonia Gandhi ji receives a warm welcome on her arrival at Hubballi airport.
ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના વડા અને આતંકવાદી પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ માર્યા ગયા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે બે અજાણ્યા બંદૂકધારીઓએ આતંકવાદીને ગોળી મારી દીધી હતી. આ ઘટના પાકિસ્તાનના લાહોરના જોહર ટાઉનમાં બની હતી. જણાવવામાં આવ્યું છે કે, પરમજીત જોહર સવારે લગભગ 6 વાગ્યે નગરમાં સનફ્લાવર સોસાયટીમાં પોતાના ઘરની નજીક ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા લોકોએ આવીને આતંકવાદી પર ગોળીબાર કર્યો, જેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Wanted terrorist Paramjit Singh Panjwar alias Malik Sardar Singh shot dead near his house in Johar town Lahore in Pakistan. He was also wanted in the murder of former army chief AS Vaidya and one of the country's biggest bank robberies in Ludhiana.#Khalistan#Pakistanpic.twitter.com/vvWWx1hNLh
Manipur violence news: મણિપુરમાં આરક્ષણ વિવાદને લઈને રાજ્યભરમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના લીધે 7 મેનાં રોજ થનારી મેડિકલ પ્રવેશની પરીક્ષા NEET PG 2023ને સ્થગિત કરી દેવામાં આવી છે. જે પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર મણિપુરમાં છે તેમની પરીક્ષા 7 મેનાં રોજ નહીં થાય. નેશનલ ટેસ્ટિંગ એજન્લી NTA ટૂંક જ સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે. શિક્ષણ રાજ્યમંત્રી ડો.રાજકુમાર રંજનસિંહે NTAને પત્ર લખીને મણિપુરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં પરીક્ષાને રીશિડ્યૂલ કરવાનું સૂચન આપ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર અને આઇપીએલ 2023ના રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેસ્ટમેન વિરાટ કોહલીના નામે અનેરી સિદ્ધિ ઉમેરાઈ છે. ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જોરદાર મુકાબલો ખેલાયો હતો. જેમાં ઇતિહાસ રચાયો છે. આ મેચમાં ઓપનિંગ બેસ્ટમેન તરીકે ઉતરેલ વિરાટ કોહલી ipl માં 7000 રન બનાવનાર પ્રથમ બેસ્ટમેન બન્યો છે. 34 વર્ષીય વિરાટ કોહલીએ અક્ષર પટેલ સામે ચોગ્ગો ફટકારીને આઇપીએલમાં પોતાના 7000 રન પુરા કર્યા છે. મહત્વનું છે કે વિરાટ કોહલી iplમાં 6000 રન પુરા કરવાના પણ પ્રથમ બેસ્ટમેન હતો.