ડિજિટલ ટ્રાંઝેક્શનથી સંબંધિત છેતરપિંડી પર પ્રતિબંધ લાવવા માટે આરબીઆઈના નવા નિયમો 16 માર્ચ (સોમવાર) થી અમલમાં આવશે. જો તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી 16 માર્ચ 2020 સુધી ઓનલાઈન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તો આ સુવિધા બંધ થઈ જશે. RBIએ જાન્યુઆરી 2020 માં આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ નિયમો બધા ડેબિટ-ક્રેડિટ કાર્ડ્સ (ફિઝિકલ કે વર્ચ્યુઅલ) પર લાગુ થશે.
બદલાશે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમો
લાગૂ થશે RBIના આ નવા નિયમો
ગ્રાહકોને પડશે આ મોટી અસર
જો તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડને 16 માર્ચ 2020 સુધી ઓનલાઈન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તો આ સુવિધા બંધ થઈ જશે. આ સુવિધાને ચાલુ રાખવા માટે જરૂરી છે કે, તમારી પાસે રહેલાં દરેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 16 માર્ચ પહેલાં ઓછાંમાં ઓછું એકવાર ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી લેવું. આ માટે 15 જાન્યુઆરીએ રિઝર્વ બેંક તરફથી નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
શું હોય છે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન?
આ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઈપ કરવાની જરૂર હોતી નથી. પોઈન્ટ ઓફ સેલ (POS) મશીનથી કાર્ડ ટચ કરાવવા પર જ પેમેન્ટ થઈ જાય છે. એક દિવસમાં પાંચ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. એક ટ્રાન્ઝેક્શનની લિમિટ 2000 રૂપિયા છે. તેમાં રેડિયો ફ્રીકવન્સી આઈન્ડેટિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
ટ્રાન્ઝેક્શનમાં અપાશે આ વાતોને મહત્વ
RBIએ બેંકોને કહ્યું છે કે કાર્ડ ઇશ્યૂ/રીઇશ્યૂ કરતી વખતે દેશમાં એટીએમ અને પીઓએસ ટર્મિનલ્સ પર માત્ર ડૉમેસ્ટિક કાર્ડ્સથી ટ્રાન્ઝેક્શનને જ મંજૂરી આપે એટલે કે જે લોકોને વિદેશ આવવા જવાનું થતું નથી અને એમના બેંક કાર્ડ પર ઓવરસીઝ સુવિધા મળશે નહીં. હવે બેંકમાં અરજી કરવા પર જ આ સેવાઓ શરૂ થશે. અત્યાર સુધી બેંક આ તમામ સેવાઓને કોઇ પણ ડિમાન્ડ વગર પણ શરૂ કરી દેતી હતી. ગ્રાહકને વિદેશમાં ટ્રાન્ઝેક્શન, ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અથવા કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સેવા જોઇએ તો એને આ સુવિધા પોતાના કાર્ડ પર અલગથી લેવી પડશે.
સાવચેતી માટે છે આ વ્યવસ્થા
જો ગ્રાહક તેના કાર્ડની સ્થિતિમાં કોઈ ફેરફાર કરે છે અથવા બીજું કંઈક કરવાનો પ્રયાસ કરે છે, તો બેંક એસએમએસ / ઇમેઇલ દ્વારા ગ્રાહકને ચેતવણી આપશે અને માહિતી મોકલશે. જે લોકો પાસે હાલ કાર્ડ છે એ પોતાના જોખમના આધાર પર એ નક્કી કરશે કે એ પોતાના ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કાર્ડનું ટ્રાન્ઝેક્શનને ડિસેબલ કરવા ઇચ્છે છે કે નહીં. જો કે કાર્ડ જે લોકોથી હજુ સુધી ઑનલાઇન/ઇન્ટરનેશનલ/કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શ થયું નથી, એમાંઆ સુવિધાઓ બંધ કરવી જરૂરી છે.
ગ્રાહક પોતે જ ટ્રાન્ઝેક્શન લિમિટમાં કરી શકે છે ફેરફાર
ગ્રાહકોને 24 કલાક સાત દિવસ કોઇ પણ સમય પોતાના કાર્ડને ઑન/ઑફ કરી શકે છે અથવા ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર કરી શકે છે. એના માટે એ મોબાઇલ એપ અથવા ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ અથવા આઇવીઆરનો સહારો લઇ શકે છે.