ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ટ્રાન્જેક્શન વધારે સુરક્ષિત થવા જઇ રહ્યુ છે. હવે તમારે કોઇ પણ પ્રકારના પેમેન્ટ માટે તમારો કાર્ડ નંબર નહી આપવો પડે પરંતુ બેંક તમને દર વખતે એક નવો નંબર જારી કરીને આપશે. આ વ્યવસ્થા શરૂ કરવા માટે RBIએ નવા નિયમો જારી કરી દીધા છે.
જરી થશે નવો નંબર:
આ નિયમ હેઠળ કોઇ પણ લેવડદેવડ માટે ક્રિડેટ/ડેબિટ કાર્ડ ડિટેલ્સ નહી બતાવવાની રહે. કોઇ પણ પેમેન્ટ માટે તમને બેંક એક ટોકન નંબર જારી કરશે અને આ જ ટોકનની મદદથી ટ્રાન્જેક્શન થશે. નવી સિસ્ટમમાં તમારે કાર્ડની ડિટેલને વિશેષ કોડ એટલે કે ટોકન દ્વારા બદલવામાં આવશે. થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા વેબસાઇટમાં કાર્ડ વિગતોને બદલે ટોકન નંબર આપવા પડશે.
દર વખતે જારી થશે નવો નંબર:
ટોકન આવવાથી કોઇ એપ અથવા વેબસાઇટ પર કાર્ડ ડિટલે સેવ થવાનું જોખમ નહીં રહે. આ ઉપરાંત ટૉકનનો ઉપયોગ POS અને QR કોડ દ્વારા ચૂકવણીમાં કરવામાં આવશે. દરેક ચુકવણી માટે વિવિધ ટોકન્સ જારી કરવામાં આવશે અને આ માટે તમારે કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવવાની જરૂર રહેશે નહીં.
તમારા પૈસા સુરક્ષિત રહેશે:
ટોકન સિસ્ટમ લાગૂ થવાથી તમારા ક્રેડિટ / ડેબિટ કાર્ડના અસલી નંબરની કોઈને જાણ નહીં થાય બેન્કના કર્મચારીને પણ નહીં. તેમજ કોઈ પણ મુશ્કેલીમાં કાર્ડ ચુકવણી માટે કંપનીઓ જવાબદાર રહેશે.
ટોકની લેવડદેવડની સુવિધા ફક્ત મોબાઇલ ફોન અને ટેબ્લેટ્સ દ્વારા જ ઉપલબ્ધ છે. પ્રતિસાદના આધારે તે પછીથી અન્ય ઉપકરણ પર લાગુ કરવામાં આવશે. ટોકન સિસ્ટમ સાથે પિન જેવી વ્યવસ્થા પણ લાગુ થશે.