ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોક્સિંગ ડે ટેસ્ટ રમાનારા છે. ત્રીજી ટેસ્ટ જીતનારી ટીમ આ સીરિઝમાં 2 1થી આગળ વધશે જો કે આ ધમાસાનથી પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી ગઇ છે. અનુભવી સ્પિનર ઇજાથી ઠીક પણ નહતો થયો કે જાડેજાના રમવા પર પણ હજુ અસમંજસ છે.
કોચ રવિ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર અશ્વિનની જગ્યા પર જાડેજાને રમાડાશે એવી વાત સામે આવી રહી હતી પરંતુ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે જાડેજા જેવલો ઓસ્ટ્રેલિયા આવ્યો એવી એને ઇન્જેક્શન લગાવવાની જરૂર પડી અને આ કારણે મેનેજમેન્ટે તેમને પર્થ ટેસ્ટમાં રમાડીને રિસ્ક લીધું નહતું.
રવિ શાસ્ત્રીએ કહ્યું 'ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બીજી ટેસ્ટમાં અમે વિચાર્યું કે જાડેજા 70 80 ટકા જ ફીટ છે અને એવામાં અમે કોઇ જોખમ લઇ શકીએ નહીં પરંતુ એ મેલહર્ન ટેસ્ટ પહેલા 80 ટકા ફીટ થાય છે તો જરૂરથી એને પ્લેઇંગ 11 માં સામેલ કરવામાં આવશે.'
શાસ્ત્રીએ આગળ કહ્યું 'પ્રશંસકોને જાણીને ખુશી થશે કે જાડેજાએ ભારતમાં પણ ઇન્જેક્શન લીધું હતું અને ઘરેલૂ મેચ રમી હતી. જાડેજાને ખભા પર તકલીફ હતી અને એને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. એને હજુ પૂરી રીતે ફીટ થવામાં સમય લાગે છે. અમારી એની ફીટનેસ પર આવતા 24 કલાક સુધી ધ્યાન રાખવું પડશે. અને ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે.'
તમને જણાવી દઇએ કે ભલે જાડેજાની ફીટનેસ પર પ્રશ્ન ઊઠાવવામાં આવતા હોય પરંતુ પર્થ ટેસ્ટમાં જાડેજાની સબ્સ્ટીટ્યૂટમાં મેદાન પર ફીલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. જો હવે આગળની સ્પર્ધામાં રમે છે તો ટીમ ઇન્ડિયાનના જીતવાના ચાન્સિસ વધારે છે.