બેન્ક કૌભાંડ કેસમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સીબીઆઇએ શનિવારે કેસ દાખલ કર્યો હતો. રતુલની મંગળવારે સવારે ઇડીએ ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે નીતા પૂરી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની બહેન છે અને રતુલ પુરી કમલનાથનો ભાણેજ છે. જ્યારે અગસ્ટા વેસ્ટલેન્ડ મામલે રતુલ પુરીને આગોતરા જામીન મળી ગયાં છે.
શું છે બેન્કિંગ કૌભાંડ કેસ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ અને મોજર બેયરના તત્કાલિન કાર્યકારી નિદેશક રતુલ પુરી વિરુધ્ધ શનિવારના રોજ સીબીઆઇએ કેસ દાખલ કર્યો છે. આ મામલે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ 354.51 કરોડ રૂપિયાની છેતરપીંડિ સાથે જોડાયેલો છે.
રતૂલ સિવાય એમબીઆઇએલના પ્રબંધ નિદેશક દિપક પૂરી, કંપનીમાં પૂર્ણકાલિક નિદેશક તેમની પત્ની નીતા પુરી, એમબીઆઇએલના પૂર્વ કાર્યકારી નિદેશક રતુલ પુરી, નિદેશક સંજય જૈન, વિનીત શર્મા અને અન્ય અજાણ્યા સરકારી સેવક અને અન્ય વ્યક્તિઓ વિરુધ્ધ છેતરપિંડી, બનાવટ અને અપરાધિક દૂર્યવ્યવહાર અને અપરાધિક ષડયંત્ર રચવાના મામલે કેસ દાખલ કરાયો હતો.
અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં લાંચ લેવાનો મામલો
રતુલ પુરી વિરુધ્ધ અગસ્તા વેસ્ટ મામલે તપાસ ચાલી રહી છે. રતુલ પુરી પર તેમની કંપની દ્વારા એક અહેવાલ મુજબ લાંચ લેવાનો આરોપ છે. ઇડી દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે કે રતુલ પુરીની સ્વામિત્વ વાળી કંપની સાથે જોડાયેલા એકાઉન્ટનો લાંચની રકમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડી 3,600 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગનો મામલો છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ કરી હતી ફરિયાદ
આ મામલે સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયાએ ફરિયાદ દાખલ કરી હતી. બેન્કે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે કંપની 2009થી અલગ-અલગ બેન્કો પાસેથી લોન લીધી હતી અને ઘણી વખત ચૂકવણીની શરતમાં ફેરફાર કરી ચૂકી હતી. બેન્કની આ ફરિયાદ હવે સીબીઆઇની એફઆઇઆરનો એક ભાગ છે.