દેશના અલગ અલગ ભાગમાંથી રાશનકાર્ડ પર અનાજ ન મળવાની અથવા તો ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. આ સમયે યૂપી કાનપુરમાં રાશનની અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપની ફરિયાદ પર સીએમ યોગી આદિત્યનાથે 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. દેશમાં લોકડાઉન બાદ જોવા મળી રહ્યું છે કે રાશન ડીલર કાર્ડધારકોની સાથે તેમના કોટાનો ભાગ આપવામાં પણ આનાકાની કરે છે. આ સમસ્યાથી રાહત મેળવવા ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. ગ્રાહકો અહીં ફરિયાદ કરી શકે છે. જ્યારે ફરિયાદ મળશે ત્યારે તરત જ કાર્યવાહી કરાશે.
રાશનકાર્ડ ગ્રાહકો માટે જાહેર થયો હેલ્પલાઈન નંબર
ઓછું રાશન કે રાશન ન મળતાં કરો ફરિયાદ
ફરિયાદ મળતાં જ કરાશે કાર્યવાહી
NFSAની વેબસાઈટ પર કરી શકાય છે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે જો તમને રાશનને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તો તમે NFSAની વેબસાઈટ પર જઈ શકો છો. અહીં તમે મેલ કરીને કે ફોન કરીને ફરિયાદ કરી શકો છો. આ સાથે રાજ્યોના અલગ અલગ ટોલ ફ્રી નંબર છે. NFSAના અધિકૃત પોર્ટલ https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA પર પણ હેલ્પલાઈન નંબર છે તેની પર ફરિયાદ કરી શકાય છે.
કેન્દ્ર સરકારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાના આધારે પ્રવાસી શ્રમિકોને અનાજ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ સમયે એવી ફરિયાદ આવી છે જેમાં ડીલર દ્વારા ઓછું અનાજ અપાય છે.
ફ્રીમાં રાશન નહીં અપાય તો થશે કાર્યવાહી
જો કોઈ રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે તો તેઓ તેની ફરિયાદ જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રણ કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર કરી શકે છે. સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યા છે. ગ્રાહક અહીં ફરિયાદ કરી શકે છે. આ રાજ્ય સરકારોએ અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.