શાંતિપૂર્ણ માહોલમાં 144મી રથયાત્રા સંપન્ન થઈ છે અને નાગરિકોએ વહીવટી તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે માન્યો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરી છે.
શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સંપન્ન
પ્રદિપ સિંહ જાડેજાએ પ્રજાના સહકાર બદલ માન્યો આભાર
2 વાગ્યાને બદલે 11.30 કલાકથી જ જનતા કર્ફ્યૂમાંથી મુક્તિ આપવાની કરી જાહેરાત
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થયાં બાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા મર્યાદિત લોકો સાથે સંપન્ન કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની કૃપા અવિરત રાજ્ય પર રહે અને આગામી દિવસોમાં રાજ્ય કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 12, 2021
11.30એ પૂર્ણ થશે જનતા કર્ફ્યૂ
આ સાથે જ તેમણે જનતા કર્ફ્યૂને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, મેં રાજ્યના પોલીસ અધિકારી સાથે વાતચીત કરી છે અને રથયાત્રા પણ નિયત સમય કરતા વહેલા પૂર્ણ થઈ છે. ત્યારે અમદાવાદના 8 વિસ્તારમાં સવારથી લાગૂ કરવામાં આવેલ કર્ફ્યૂ 11.30 કલાકે જ પૂર્ણ થશે અને જનજીવન રાબેતા મુજબ થશે.