ટાટા જૂથોનો માલિક રતન ટાટા ગુરુવાર એક ઇન્ટરવ્યુમાં કોવિડ -19 મહામારીને લીધે લોકોનું કામ પ્રભાવિત થઇ રહ્યું છે તેના વિષે વાત કરી હતી. તેમણે કહ્યું, "ઉદ્યોગપતિઓ અને વ્યવસાયો લાંબા સમય સુધી કામ કરવા અને સારુ પ્રદર્શમ કરવા માટે સંવેદનશીલતા ખુબ જરૂરી છે."
રતન ટાટાએ કોસ્ટ કટિંગને ગણાવ્યુ અયોગ્ય
કર્મચારીઓને કાઢવા તે સમાધાન નહી
કર્મચારીઓને દિશા બતાવવી જરૂરી
તેમણે કહ્યું, "જ્યારે દેશમાં વાયરસનો પ્રોકોપ શરૂ થયો ત્યારે જ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ કોઇ સમસ્યાનું સમાધાન છે? મને નથી લાગતું કે આ કોઇ સમાધાન છે અને આ ખૂબ જ ખોટી વાત છે "
આ પ્રકારના માહોલમાં હંમેશા લોકો પોતાની નોકરીને લઇને વધુ ચિંતીત હોય છે, કારણકે પૈસા કમાવા માટેનું સાધન જ નોકરી હોય છે અને જો તમે તમારા કર્મચારીઓને છૂટા કરી દેશો તો તે વ્યક્તિ તેના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે. હંમેશા કોઇ પણ મહામારીમાં વયક્તિ તેની આજીવિકા માટેનું સાધન શોધતો હોય છે કારણકે પૈસા વગર આ જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.
રતન ટાટાએ પગપાળા પોતાના વતન પહોંચેલા લોકો વિશે પણ વાત કરી અને કહ્યું કે, જે મજૂરોએ તમારા માટે કામ કર્યુ તમે તેને છોડી દીધા અને પગે ચાલવા માટે મજબૂર કર્યા. તેમની પાસે ખાવા માટે ભોજન નથી અને આ મહામારી માટે તમે કોઇને દોષ પણ ન આપી શકો. શા કારણે તમારે આવું કરવાની જરૂર પડી અને તમે આવું કરવાવાળા કોણ છો.
ટાટાએ વધુમાં જણાવ્યું કે, જો આ પ્રકારની હાલત ફરી થશે તો તમે તમારો દ્રષ્ટિકોણ બદલશો અને તમારી કંપનીમાં કામ કરનારા દરેક એમ્પ્લોયનું ધ્યાન રાખશો. કંપનીઓ એમ્પ્લોયઝની ભૂલો પર તેમને સમજાવવાનો પ્રયત્ન કરે, તેમને નોકરીમાંથી કાઢી મૂકવા તે કોઇ ઉપાય નથી.