કેરળમાં ગર્ભવતી હથણની હત્યાના સમાચાર પછી પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. ભાજપના નેતા અને પશુ અધિકારના કાર્યકર્તા મેનકા ગાંધીએ તેને સખત શબ્દોમાં વખોડી કાઢી તપાસની માંગ કરી છે. ત્યારે દેશના ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું આ જાણી જોઈને કરવામાં આવેલી હત્યા છે. સાથે ન્યાયની માંગણી પણ કરી છે.
કેરળમાં ગર્ભવતી હાથણના મોતની ઘટના પર રતન ટાટાએ આપી પ્રતિક્રિયા
રતન ટાટાએ આને ગણાવી હત્યા સમાન
રતન ટાટાએ દુઃખ વ્યક્ત કરતા ન્યાયની માંગ કરી
ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે એક ટ્વીટ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે લખ્યુ હતું કે હું એ જાણીને આઘાતમાં છુ અને દુઃખી છુ કે કેટલાક લોકોએ નિર્દોષ, ગર્ભવતી હાથણને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધું. જેમાં તેનું મોત નિપજ્યું છે. નિર્દોષ પશુઓની વિરુદ્ધ આવુ અપરાધિક કૃત્ય કરનારા મનુષ્યની સમજી વિચારીને કરવામાં આવેલી હત્યાથી જરાય અલગ નથી.
આ પહેલા આ ઘટનાને લઈને કેટલાય બોલીવુડ કલાકાર જેવા કે અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, રણદીપ હુડ્ડા વગેરેએ પશુઓની વિરુદ્ધ આ પ્રકારના કૃત્યને ક્રુરતા ગણાવતા આકરી સજાની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે કેરળના સાઈલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણને માનવ ક્રુરતાનો શિકાર થવું પડ્યું છે. જે બાદ 27 મેના વેલ્લિયાર નદીમાં હાથણીનું મોત નિપજ્યુ હતું. હાથીના મોઢામાં ફટાકડા ભરેલુ અનાનસ ફાટ્યું હતુ. જેના કારણે તેનું જડબુ સંપૂર્ણ ડેમેજ થઈ ગયુ હતું જેથી તે ખાણી પણ નહોતી શકતી.
એટલું જ નહીં એક મખ્ય વન અધિકારીએ જણાવ્યુ હતું કે આ પહેલા એપ્રિલમાં કોલ્લમ જિલ્લામાં પુનાલુર મંડલના પથનાપુરમ વન વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની ચુકી છે.