26 નવેમ્બર એટલે એ દિવસ જેને ભારત ક્યારેય ભૂલાઈ ન શકે, જ્યારે દેશની આર્થિક રાજધાનીમાં આતંકવાદીઓએ તાંડવ મચાવ્યો હતો.એવામાં આજે ટાટાએ એક પોસ્ટ શેર કરી છે.
આજથી 12 વર્ષ પહેલા મુંબઈમાં થયો હતો હુમલો
સમુદ્રના રસ્તે આવ્યા હતા આતંકવાદીઓ, એક જીવતો પકડાયો
રતન ટાટાએ કહ્યું : અમે નહીં ભૂલીએ, શહીદોને કર્યું સલામ
દેશ આજે મુંબઈ હુમલાના શિકાર થયેલા લોકોને યાદ કરી રહ્યો છે, આજથી 12 વર્ષ પહેલા આજના જ દિવસે પાકિસ્તાનથી આવેલા ખૂંખાર આતંકવાદીઓએ દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં તાજ હોટેલને પણ નિશાને લેવામાં હતી જેમાં આતંવાદીઓએ હોટેલમાં લોકોને શોધીને શોધીને તેમની કરપીણ હત્યા કરી નાખી.
મુંબઈ હુમલાની વરસી પર ટાટા સંસના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ખૂબ ભાવુક પોસ્ટ શેર કરી છે. ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે કે લોકોએ દુશ્મન પર જીત હાંસલ કરવામાં મદદ કરી, અમે તેમના બલિદાનને યાદ રાખીશું.
ટાટાએ હોટલ તાજની એક તસવીર શેર કરી તેના પર લખ્યું છે કે આજથી બાર વર્ષ પહેલા જ વિનાશ થયો એને ક્યારેય ભુલાઈ શકાય નહીં. પણ જે વધારે યાદગાર છે કે આ દિવસે આતંકવાદ અને વિનાશને ખતમ કરીને મુંબઈનાં લોકો બધા જ મતભેદોને ભૂલીને એકસાથે આવ્યા. આપણે જેમને ગુમાવ્યા, જેમણે દુશ્મન પર જીત હાંસલ કરવા માટે કુરબાની આપી, આજે આપણે તેમનો શોક મનાવીએ છે.
નોંધનીય છે કે રતન ટાટાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે અને ખાસ આજના દિવસે લોકો શહીદોને યાદ કરી રહ્યા છે. કસાબને જીવતો પકડનાર કોન્સ્ટેબલ તુકારામ ઓમ્બ્લેને પણ લોકો નમન કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર મુંબઈ હુમલાને લગતી પોસ્ટ આજે ટ્રેન્ડ કરી રહી છે.