મળતી માહિતી અનુસાર વૈજ્ઞાનિકોએ એક એવા દુર્લભ ધૂમકેતુની શોધ કરી છે જે 4000 વર્ષ બાદ ધરતીની તરફ આવી રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ એક એવા દુર્લભ ધૂમકેતુની શોધ કરી
4000 વર્ષ બાદ ધરતીની તરફ આવી રહ્યો છે દુર્લભ ધૂમકેતુ
શું આ ખતરો બની શકે છે?
SETI ઈન્સ્ટીટ્યૂટના મેટિયોર એસ્ટ્રોનોમર અને આ સ્ટડીના લેખક પીટર જેનિસકેંસે કહ્યું કે અમે એવા ધૂમકેતુનું અધ્યયન કરી રહ્યા છીએ જે ધરતીને માટે ખતરનાક હોઈ શકે છે. તેમાં કેટલાક એવા છે જે 2000 ઈસા પૂર્વમાં જોવા મળ્યા હતા. આ પછી હવે તે ધરતી પર પરત આવી રહ્યા છે. એટલે કે 4000 વર્ષ બાદ. તેની દેખરેખ માટે કેમેરા રાતે ધરતીની તરફ આવનારા ધૂમકેતુ, એસ્ટેરોઈડ્સ અને ઉલ્કાપિંડ પર નજર રાખે છે.
PRESS RELEASE: Researchers report in a new article in the journal Icarus that they can detect meteor showers from the debris in the path of comets that pass close to Earth orbit and are known to return as infrequent as once every 4,000 years. https://t.co/8cmFr1NRKfpic.twitter.com/LO5lGx00KO
— The SETI Institute (@SETIInstitute) May 20, 2021
પીટરે કહ્યું કે CAMSની મદદથી જાણી શકાશે કે ધૂમકેતુની ટ્રેઝેક્ટરી, તેનો રસ્તો અને ધરતી પર તે કયા સંભવિત દેશથી પસાર થશે તો ઉલ્કાપિંડનો વરસાદ દેખાશે. લોકો આસમાની આતિશબાજી જોઈ શકશે. પીટરે કહ્યું કે નેટવર્ક દુનિયાના 9 દેશોમાં છે. હાલના વર્ષોમાં ઓસ્ટ્રેલિયા, ચીલી અને નામીબિયામાં ત્રિકોણીય ઉલ્કા જોનારાની સંખ્યા વધી છે. તેમાં રાતે પણ દેખરેખ કરી શકાય છે. ફક્ત 5 ધૂમકેતુ છે જે લાંબા સમયમાં ધરતી પર ચક્કર લગાવે છે. અમે 9 શોધ્યા છે. તે 15 હોઈ શકે છે. તેની તપાસ બાકી છે. 4000 વર્ષ સુધી ધરતીની તરફ આવી રહેલા ધૂમકેતૂમાં સામેલ 9 છે.
ધૂમકેતુ નાના હોય છે અને ગતિના કારણે તૂટે છે
વૈજ્ઞાનિકો કહે છે કે ધૂમકેતુ ખાસ કરીને નાના હોય છે અને મોટા હોય તો ગતિના કારણે તૂટે છે. મોટા ધૂમકેતુ ધરતીની તરફ આવી શકે છે કેમકે તેની ઓર્બિટ એવી હોય છે જે જલ્દી જોઈ શકાચી નથી. આ સૂરજની ચારેતરફ લાંબી યાત્રા કરે છે અને ધરતીની તરફ અને આવે તો તેની ગતિ વધી શકે છે. તો મોટી તબાહી લાવી શકે છે. અનેક શૂટિંગ સ્ટાર્સ એવા હોય છે જે આપણે સામાન્ય રીતે આંખથી જોઈ શકીએ છીએ પણ અનેક એવા હોય છે જે વાયુમંડળમાં આવતા જ ગાયબ થઈ જાય છે. તેનો આકાર નાનો હોય છે અને યોગ્ય દિશા અને ટ્રેજેક્ટરીનો ખ્યાલ હોય તો નાના શટિગ સ્ટાર્સ પણ જોઈ શકાય છે. શરત એ છે કે આકાશ સાફ હોય અને પ્રદૂષણ ઓછું હોય.
પીટરના અધ્યયનના આધારે લાંબા સમય બાદ આવનારા ધૂમકેતુથી થનારી ઉલ્કાપિંડનો વરસાદ અનેક દિવસો સુધી થઈ શકે છે. ધરતીના મોટા વિસ્તારમાં આસમાની આતિશબાજી જોઈ શકાય છે. પીટર અને તેની ટીમ માટે આ હેરાની ભર્યું છે. તેનો મતલબ છે કે આ ધૂમકેતુ અનેક વાર ધરતીની ઉપરથી નીકળે છે પણ તેની કક્ષામાં પરિવર્તન આવતું રહે છે.
મળતી માહિતી અનુસાર જે ધૂમકેતુ ઉલ્કાપિંડને કાપે છે તેના પત્થર ઘણા નાના હોય છે. એટલે કે એક જગ્યા પર જ નહીં અનેક મોટા વિસ્તારોમાં જોવા મળે છે. મોટા પત્થરના વરસાદ સીમિત જગ્યાએ જોવા મળે છે. આ લાંબા સમય બાદ અને લાંબા સમય સુધી આકાશમાં આતિશબાજી કરતા રહે છે.