હાલમાં બોલીવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ' ખૂબ જ ચર્ચામાં છે. 29 જૂને રિલીઝ થઇ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસપોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધી ફિલસ્મએ 150 કરોડ રૂપિયાથી વદારે કમાણી કરી લીધી છે.
રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટાર બહુચર્ચિત ફિલ્મ 'શમશેરા'ની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. મીડિયામાં ચાલી રહેલી ખબરોનું માનીએ તો આ ફિલ્મ 31 જુલાઇ વર્ષ 2020માં રિલીઝ થશે. યશરાજ બનેરની ફિલ્મ 'શમશેરા'નું થોડાક દિવસ અગાઉ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ ફિલ્મ ઇદ પર રિલીઝ થઇ રહી છે. એટલે ટ્રેડ એનાલિસ્ટોનું માનવું છે કે રણબીર કપૂરની આ ફિલ્મની સાથે સલમાન ખાનની પણ કોઇ ફિલ્મ રિલીઝ થઇ શકે છે.
'શમશેરા'માં ફિલ્મ 'બેફ્રિકે'ની હિરોઇન વાણી કપૂર અભિનેતા રણબીર કપૂર સાથે જોવા મળશે.
થોડાક દિવસો અગાઉ 'શમશેરા'માં કામ કરવાને લઇને સંજય દત્તે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. મીડિયા સાથે વાત કરતાં સંજય દત્તે જણાવ્યું કે ફિલ્મ 'શમશેરા'ની સાથે એ પહેલી વખત યશરાજ ફિલ્મ્સની સાથે કામ કરી રહ્યો છે. એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 37 વર્ષ પસાર થયા બાદ પણ સંજય દત્તે યશરાજ ફિલ્મ્સ સાથે ક્યારેય પણ કામ કર્યું નથી.